CM વિષ્ણુદેવ સાંઈએ PM મોદી સાથે કરી મુલાકાત, છત્તીસગઢના વિકાસ સહિત અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા

  • December 23, 2023 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન, તેમણે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પીએમ દ્વારા કરવામાં આવેલા વચનોને પૂર્ણ કરવા માટે હાલ જે કામગીરી થઈ રહી છે તે વિશે માહિતી આપી હતી. તેમણે પીએમને કહ્યું કે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 18 લાખથી વધુ પરિવારોને આવાસની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, સરકાર ખેડૂતો પાસેથી 21 ક્વિન્ટલ ડાંગર પ્રતિ એકર રૂ.3100ના ભાવે ખરીદવાનું વચન પૂરું કરી રહી છે.

'મોદીની ગેરંટી' પર શરૂ થયું અમલીકરણ

CM વિષ્ણુ દેવ સાંઈએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના 10 દિવસમાં રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીનો અમલ શરૂ કરી દીધો છે. સરકારે 'મોદીની ગેરંટી' હેઠળ ખેડૂતોના બે વર્ષના લેણાંની ચુકવણી સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું છે. મુખ્યપ્રધાનની સાથે, નાયબ મુખ્યપ્રધાનો અરુણ સાઓ અને વિજય શર્માએ પણ છત્તીસગઢને રૂ.2485.79 કરોડનો વધારાનો હપ્તો મુક્ત કરવા વડાપ્રધાનનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસેથી મળેલ ભંડોળ સામાજિક કલ્યાણ અને માળખાકીય વિકાસની પહેલ માટે રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે.

અનેક મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા

સીએમ વિષ્ણુએ પીએમ સાથેની મુલાકાત દરમિયાન છત્તીસગઢ રાજ્યના વિકાસ અને જનહિત સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ વિશે માહિતી આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે, પૂરક બજેટમાં મહતારી વંદન યોજના, જલ જીવન મિશન, કૃષક જીવન જ્યોતિ યોજના, સામાજિક સુરક્ષા પેન્શન વગેરે જેવી યોજનાઓ માટે પણ ભંડોળની જોગવાઈ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application