આઇટીઆરએ દ્વારા તા. ૧૮ થી ર૧ દરમ્યાન હેલ્થ એન્ડ મીલેટ એકસ્પો યોજાશે

  • March 11, 2023 11:45 PM 

જામનગરમાં આગામી તા. ૧૮ થી ર૧ એમ ચાર દિવસ દરમ્યાન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીર્સચ ઇન આયુર્વેદ દ્વારા હેલ્થ એન્ડ મીલેટ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, આ કેમ્પમાં રાગી, જુવાર, બાજરો અને અન્ય ધાન્યનો ઉપયોગ કેમ કરવો ? તે અંગે ઉંડાણપૂર્વક સમજણ આપવામાં આવશે.

​​​​​​​ આ એકસ્પોમાં ૬૦ જેટલા સ્ટોલ રાખવામાં આવશે, યોગ અંગે પણ માર્ગદર્શન અપાશે, ઉપરાંત ડાયાબીટીક દર્દીઓ માટે વિનામૂલ્યે સુગર ચેકઅપ કેમ્પ, ઔષધીના રોપાનું વિતરણ, નજીવા દરે ફૂડ આઇટમ વહેચવામાં આવશે, આ કાર્યક્રમને લઇને આયુર્વેદ કોલેજમાં તડામાર તૈયારી થઇ રહી છે, ધન્વંતરીના મેદાનમાં ડાયરેકટર ડો. અનુપ ઠાકરના નેજા હેઠળ સમગ્ર કાર્યક્રમને ઓપ આપવા માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે, જુદા જુદા નિષ્ણાંતો દ્વારા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને દર્દીઓને ધાન્યનો ઉપયોગ કઇ રીતે તે અંગે વિશેષ સમજણ આપવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application