બાઈકમાં આઈ.ઈ.ડી.નો ઉપયોગ થયો : વ્યાપક નુકસાન
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં મોડી રાતે વિસ્ફોટની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ વિસ્ફોટ એક મોટરસાઇકલમાં થયો હતો, બદમાશોએ આ બાઇકમાં બોમ્બ રાખ્યો હતો.બોમ્બ ડિસ્પોઝલ ટીમના નિવેદન અનુસાર, વિસ્ફોટમાં 200 ગ્રામ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો
પેશાવર એ પાકિસ્તાનનું છઠ્ઠું સૌથી મોટું શહેર અને ખૈબર પખ્તુનખ્વાની રાજધાની છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું કે મોટરસાઈકલમાં મુકવામાં આવેલ બોમ્બ ફાટ્યા બાદ વિસ્ફોટ થયો હતો. અમે બ્લાસ્ટની પ્રકૃતિ વિશે માહિતી એકઠી કરી રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે જ્યારે મોટરસાઇકલનું સમારકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો.
આ ઘટના પેશાવર શહેરના રિંગ રોડ પર એક હોટલ પાસે બની હતી. એક વ્યક્તિ તેની મોટરસાઇકલ ઠીક કરાવવા દુકાને ગયો હતો. મિકેનિક મોટરસાઇકલ રિપેર કરી રહ્યો હતો ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનાને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. વિસ્ફોટ સમયે દુકાનમાં રહેલા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જો કે હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. વિસ્ફોટથી દુકાન અને તેની આસપાસના બાંધકામોને વ્યાપક નુકસાન થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણ ઘાયલોમાં મોટરસાઈકલનો માલિક પણ સામેલ છે, જ્યારે ઈજાગ્રસ્તોમાંથી એકની હાલત નાજુક છે. બોમ્બ ડિસ્પોઝલ ટીમના નિવેદન અનુસાર, વિસ્ફોટમાં 200 ગ્રામ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, IEDનો ઉપયોગ ઘણીવાર પરિવાર સાથે સંબંધિત ઘટનાઓમાં થાય છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech