ઈદ-એ-મિલાદુન્નબીની તૈયારી ભાગરૂપે જામનગર શહેરના મુસ્લિમ વિસ્તારોમાં રોશનીનો ઝગમગાટ

  • September 25, 2023 11:56 AM 

ઈદ-એ-મિલાદુન્નબીની તૈયારી ભાગરૂપે જામનગર શહેરના મુસ્લિમ વિસ્તારોમાં રોશનીનો ઝગમગાટ


​​​​​​​આગામી તા.૨૮ સપ્ટેમ્બર ગુરૂવાળ ના રોજ ઈદે-એ-મિલાદુન્નબી પયંગમ્બર મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો પવિત્ર દિવસ આવી રહ્યો હોવાથી મુસ્લિમ સમાજ ઉજવણી કરવા થનગની રહ્યો છે. આથી ચાલુ વર્ષ આશિકોમાં ગજબનો થનગનાટ જોવા મળે છે. હાલ જામનગર શહેરમાં આવેલ પાંચહાટડી વિસ્તાર, સિલ્વર પાર્ક વિસ્તાર, મકવાણા સોસાયટી વિસ્તાર, નૂરી પાર્ક વિસ્તાર, મહારાજા સોસાયટી, ગરીબ નવાઝ સોસાયટી, ઘાંચી ની ખડકી વિસ્તાર, વાઘેરવાડો વિસ્તાર, સુમરાચાલી વિસ્તાર, બેડી વિસ્તાર, ધરાનગર વિસ્તાર, ખોજા ગેટ વિસ્તાર, નવાગામ ઘેડ વિસ્તાર તેમજ જામનગર શહેર મુસ્લિમ ની આન-બાન-શાન જુમ્મા મસ્જિદ અને માંડવી ટાવર સહિત મુસ્લિમ વિસ્તારમાં આવેલ તમામ વિવિધ મસ્જિદો, મહોલ્લા તથા ઘર વગેરેમાં રોશની કરવામાં આવી રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application