જામનગરમાં શહીદ ભગતસિંહને શ્રઘ્ધાંજલિ આપતા ભાજપ, કોંગ્રેસ અને વિહિપ

  • March 24, 2023 12:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આજે શહીદ દિવસે ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, માતૃશક્તિ, દુર્ગાવાહિની દ્વારા પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ હવાઇચોક ખાતે યોજાયો હતો, જેમાં મેયર બીનાબેન કોઠારી, ભાજપ ભાજપ અઘ્યક્ષ ડો. વિમલ કગથરા, ચેરમેન મનીષ કટારીયા, કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, અરવિંદ સભાયા, જયેન્દ્રસિંહ ઝાલા, ભાજપના મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, યુવા મોરચાના વિજયસિંહ, માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, ક્રિષ્નાબેન સોઢા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા, શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષના નેતા ધવલ નંદા, રચનાબેન નંદાણીયા, જૈનબબેન ખફી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા, જ્યારે વિહિપના અઘ્યક્ષ ભરતભાઇ ડાંગરીયા, ઉપાઘ્યક્ષ રમેશભાઇ તારપરા, સુબ્રમણ્યમ પીલ્લે, ધર્મેશ ગોંડલીયા, કિંજલ કારસરીયા, કલ્પેન રાજાણી, માતૃશક્તિના હીનાબેન અગ્રાવત, બજરંગદળના ભૈરવભાઇ ચાંદ્રા, દુર્ગાવાહિનીના કૃપાબેન લાલ, પ્રફુલાબેન અગ્રાવત સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application