શેઠવડાળા પાસે કારે ઠોકર મારતા બાઇકચાલકનું મોત

  • February 02, 2023 07:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના શેઠવડાળા રોડ પર ગઇકાલે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વૃઘ્ધનું મૃત્યુ નિપજયુ હતું, જેમાં કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે, જયારે બે દિવસ પહેલા ભેંસદડ પાસે થયેલા અકસ્માતમાં ટ્રેકટરચાલક સામે અને ગઇકાલે શેખપાટ પાટીયે થયેલા અકસ્માતમાં કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.


જામજોધપુર તાલુકાના ભરકડી ગામમાં રહેતા કિશોર ગીરધરભાઇ સાંગાણી ઉ.વ.૫૦એ ગઇકાલે મારૂતી વેગન કાર નં. જીજે૩એચકે-૭૬૫૨ના ચાલક સામે ફરીયાદ કરી હતી.


ફરીયાદીના કુટુંબી ભાઇ પ્રકાશભાઇ પોતાના હવાલાનું સ્પ્લેન્ડર જીજે૧૦-ડીડી-૦૬૨૭ લઇને ભરકડીથી જામજોધપુર તરફ જતા હતા, ત્યારે જામજોધપુર તરફથી આવતી ઉપરોકત નંબરની કારના ચાલકે બેદરકારી અને પુરઝડપે ચલાવી બાઇક સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો, જેમાં માથા, પગ અને શરીરે ગંભીર ઇજાઓ થતા ભરકડી ગામના પ્રકાશ ગોરધનભાઇ સાંગાણી ઉ.વ.૬૦નું મૃત્યુ નિપજયુ હતું.


આ ઉપરાંત ગત તા. ૩૦ના રાત્રીના ધ્રોલના ભેસદડ રોડ પર ટ્રેકટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં રાકેશભાઇનું મૃત્યુ થયુ હતું અને બાઇકની પાછળ બેઠેલ અરવિંદ મેઘાભાઇ વેશરાને શરીરે મુંઢ ઇજા પહોચી હતી, આ બનાવમાં ભેસદડના અને હાલ રાજકોટ રહેતા નિલેશ ભાલચંદ્રભાઇ ચોટલીયાએ ગઇકાલે ધ્રોલ પોલીસમાં ટ્રેકટર નં. જીજે૧૦બીઆર-૦૩૪૮ના ચાલક સામે ફરીયાદ કરી હતી. જયારે ગઇકાલે વહેલી સવારે શેખપાટ પાટીયે ટ્રકની પાછળ કાર ઘુસી જતા વિપુલભાઇ હરીયાનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ હતું, આ અંગે રણજીતનગર ખાતે રહેતા સલીમ જુસબભાઇ બ્લોચ દ્વારા પંચ-એમાં કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application