'ભૂલ ભુલૈયા 3'નું ટીઝર થયુ રિલીઝ, કાર્તિક આર્યન ફરીથી જોવા મળશે 'રૂહ બાબા'ની ભૂમિકામાં

  • March 02, 2023 06:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્તિક આર્યનના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂલ ભૂલૈયા 2 ની શાનદાર સફળતા બાદ હવે તેના નિર્માતાઓએ ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાનું નક્કી કર્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મ વિશે અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે ભૂલ ભૂલૈયા 3 ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર, અભિનેતા કાર્તિક આર્યનએ ચાહકો સાથે એક ટીઝર શેર કર્યું છે અને પુષ્ટિ કરી છે કે ટૂંક સમયમાં દર્શકોને ભૂલ ભૂલૈયા 3 જોવા મળશે. 57 સેકન્ડના ટીઝરમાં, કાર્તિક આર્યન ફરીથી ભૂતિયા હવેલીની અંદર જોવા મળે છે. આ દરમિયાન તેમનો જોરદાર ડાયલોગ પણ સાંભળવા મળે છે. કાર્તિક કહે છે, “ક્યા કહાની પૂરી હો ગયી? ખુલને કે લિયે હી દરવાજે બંધ હોતે હૈ.” આ વીડિયોમાં કાર્તિક આગળ કહે છે કે હું માત્ર આત્માઓ સાથે જ વાત નથી કરતો, પરંતુ આત્માઓ મારી અંદર પણ આવે છે.

ફિલ્મની આ જાહેરાત પર લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. એક યુઝરે લખ્યું કે, “આજના સૌથી સારા સમાચાર છે.” અન્ય એક યુઝરે લખ્યું, “આ ફિલ્મ સુપરહિટ રહેશે.” અન્ય એક યુઝરે લખ્યું, “આ ફિલ્મ માટે આખી ટીમને શુભકામનાઓ.

 ફરી એકવાર ફિલ્મના નિર્દેશનની કમાન અનીસ બઝમીના હાથમાં આપવામાં આવી છે. તેનું નિર્માણ ટી-સીરીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ હોરર કોમેડી 2024ની દિવાળીમાં રિલીઝ થવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application