વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે દેશમાં જ સ્વદેશી તકનીકથી નિર્મિત અત્યાધુનિક સુવિધાયુકત દેશની પ્રથમ ભુજ– અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો ઓનલાઇન સિલ દર્શાવી વચ્ર્યુઅલ પ્રારભં કરાવશે.
અમદાવાદ ડિવિઝનના વરિ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ, આ ટ્રેનમાં ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાજિગ, વેકયુમ ઈવેકયુએશન સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકિંગ સીસ્ટમથી સ આ ટ્રેનમાં મુસાફરોની સલામતી અને મોનિટરિંગ માટે સીસીટીવી, સતત એલઈડી લાઈટિંગ વ્યવસ્થા, ફાયર ડિટેકશન સિસ્ટમ, અિશામક એરોસોલ આધારિત પ્રણાલી અને અન્ય અત્યાધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરાયો છે. ભુજ– અમદાવાદ વંદે મેટ્રો ઉદઘાટન ટ્રેન નંબર ૦૯૪૦૪ ભુજ– અમદાવાદ વંદે મેટ્રો ઉદઘાટન ટ્રેનનું આજે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ભુજથી ૧૬.૦૫ વડાપ્રધાન મોદી વચ્ર્યુઅલ પ્રસ્થાન કરાવશે અને ૨૨.૧૫ કલાકે અમદાવાદ પહોંચશે. ઉધ્ઘાટન ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશનો પર ઉભી રહેશે. ત્યારબાદ અમદાવાદ– ભુજ– અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન ભુજથી શનિવાર સિવાયના દિવસોએ અને અમદાવાદથી રવિવાર સિવાયના દિવસોએ નિયમિત દોડતી થશે. જેમાં ટ્રેન નંબર ૯૪૮૦૧ અમદાવાદ– ભુજ વંદે મેટ્રો ૧૭ સપ્ટેમ્બરથી દરરોજ (શનિવાર સિવાય) અમદાવાદથી ૧૭:૩૦ કલાકે ઉપડશે અને ૨૩:૧૦ કલાકે ભુજ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૯૪૮૦૨ ભુજ– અમદાવાદ વંદે મેટ્રો ૧૮ સપ્ટેમ્બરથી દરરોજ (રવિવાર સિવાય) ભુજથી ૦૫.૦૫ કલાકે ઉપડશે અને ૧૦:૫૦ કલાકે અમદાવાદ પહોંચશે.
ટ પર બંને દિશામાં આ ટ્રેન સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેન ૧૨ કોચવાળી વંદે મેટ્રો ટ્રેન સેટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી-1 અને વેણુ-2 ડેમના હેઠવાસના ગામલોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી
September 18, 2024 11:46 PMLebanon Blast: લેબનોનમાં પેજર્સ પછી વોકી-ટોકી બ્લાસ્ટ, 9ના મોત
September 18, 2024 11:44 PMBihar News: નવાદામાં દબંગોએ 60 થી વધુ ઘરોને લગાડી આગ, કર્યો ગોળીબાર; પોલીસે સંભાળ્યો ચાર્જ
September 18, 2024 11:43 PMસ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાયાવદર ખાતે સ્વચ્છતા રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
September 18, 2024 11:40 PMશિવરાજપુર ગામે પૌરાણિક દરગાહ ખાતે મલ કુસ્તી સ્પર્ધા યોજાઈ
September 18, 2024 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech