કાર્યક્રમમાં ૧૦૦ જેટલા આશાવર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર્તાઓએ ભાગ લીધો
લાભાર્થીઓને 'વહાલી દીકરી યોજના' ના હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું
મહિલા અને બાળ વિકાસ વિભાગ, જામનગર દ્વારા ‘નારી વંદન ઉત્સવ કાર્યક્રમ’ ની ઉજવણી તા.૦૧ ઓગસ્ટથી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ અલગ– અલગ થીમ પર ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે, જામનગર જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે ગત તા.૦૨ ઓગસ્ટના રોજ ‘બેટી બચાવો- બેટી પઢાવો દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.એન. કન્નરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ, ‘વહાલી દીકરી યોજના’ ના મંજુર થયેલા લાભાર્થીઓને હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ‘બેટી બચાવો– બેટી પઢાવો’ થીમ પર આધારિત નાટક રજુ કર્યા બાદ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પી.પી.ટી. ના માધ્યમથી P.C. &P.N.D.T. એક્ટ વિષે ઉપસ્થિત લાભાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. તેમજ, ૧૮૧ મહિલા અભયમ ટીમ દ્વારા બહેનોને માહિતી આપ્યા બાદ તેમના મોબાઈલ ફોનમાં અભયમ એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સોનલબેન વર્ણાગર, C.D.P.O. અંજનાબેન ઠુમ્મર, C.D.P.O. ઉષાબેન રાવલ તેમજ ૧૦૦ જેટલા આશાવર્કર બહેનો, આંગણવાડી બહેનો તેમજ ૩૦ જેટલી કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.
આગામી દિવસોમાં, મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાએ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન, મહિલા માટે સ્વ-રોજગાર/લોન મેળો, શ્રમજીવી મહિલાઓના અધિકારો અને કલ્યાણકારી યોજનાઓની જાણકારી અંગે જાગૃતિ સેમિનાર તેમજ મહિલા સ્વાવલંબન દિવસની થીમ પર આધારિત નાટકનું આયોજન કરવામાં આવેલ છે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ સી. ગોહિલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech