aajkaal@team
વૈશાખ વદ સાતમના દિવસે ભાવનગર શહેરમાં આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડીના ૧૭ માં પાટોત્સવની વિધિ સંસ્થાના સદગુરુ સંત ઘનશ્યામચરણ સ્વામી, સંતો તથા હરિભક્તોની હાજરીમાં સંપન્ન થઇ. સવારે ૭ થી ૮ દરમ્યાન વેદોક્ત વિધિથી ભગવાનની પૂજા કરવામાં આવી હતી
ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને ઉપસ્થિત સંતો, હરિભક્તોએ ઠાકોરજીની આરતી ઉતારવાનો લાભ પ્રાપ્ત કર્યો. આ પ્રસંગે ઘનશ્યામચરણ સ્વામીએ પાટોત્સવનો મર્મ અને મહિમા સમજાવ્યો અને સૌ તને, મને, ધને સુખિયા થાય એવા આશીર્વાદ પાઠવ્યા.
મંદિર પાટોત્સવ ઉપક્રમે આયોજીત પ્રવચનમાળા અંતર્ગત શુક્રવારે રાત્રે ૯ થી ૧૧ સોમપ્રકાશ સ્વામી દ્વારા 'મંદિર : જ્યાં પ્રભુ પ્રગટ છે ' એ વિષયક પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે. કાલે શનિવારે રાત્રે ૯ થી ૧૧ ગઢડાના કોઠારી સ્વામી અધ્યાત્મસ્વરૂપ સ્વામી લાભ આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech