મંગલ બાગ વિસ્તારમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર હીચકારો હુમલો

  • January 03, 2023 12:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મંગલબાગ વિસ્તારમાં રહેતા એક ચાર્ટર્ડ એકાઉન્ટ યુવાન પર મોડી રાત્રે પથ્થર વડે હીચકારો હુમલો કરાયો છે અને તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. જેમના ઘર પાસે દેકારો કરી રહેલા શખ્સોને ટપારવા જતાં હુમલો કરાયાનું જાણવા મળ્યું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મંગલબાગ વિસ્તારમાં રહેતા સન્નીભાઈ રોહેરા નામના ચાર્ટર્ડ એકાઉન્ટ યુવાન પર ગઈકાલે રાત્રે બારેક વાગ્યાના અરસામાં પથ્થર વડે હુમલો કરી દેવાયો હતો, જેમાં તેઓ લોહી લુહાણ થયા હોવાથી તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર અપાઈ હતી. 


જેઓ પોતાના ઘરની બાલ્કનીમાં ઊભા હતા, જે દરમિયાન નીચે કેટલાક શખ્સો રસ્તા પર દેકારો કરી રહ્યા હતા. જેઓને દેકારો નહીં કરવાનું જણાવતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને સી.એ. ઉપર પથ્થર પડે હુમલો કરી દીધો હતો.


 આ મામલો  સી.ટી. બી.ડિવિઝન પોલીસ મથક સુધી પહોંચ્યો હતો અને મોડી રાત્રે પોલીસ કાફલો દોડતો થયો હતો અને  ચાર શખ્સોને સકંજામાં લીધા હતા. જોકે આ મામલે સમાધાનનો રસ્તો અપનાવાયો હતો અને પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application