અતિક–અશરફના હત્યારાઓની પોલીસે કરી ૮ કલાકની પૂછપરછ

  • April 20, 2023 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સનીએ સુંદર ભાટીના સંપર્કમાં હોવાનું સ્વીકાયુ



માફિયા અતિક એહમદ અને અશરફની પોલીસ કસ્ટડીમાં હત્યા કરનારા ત્રણ હત્યારાઓ લવલેશ, સની અને અરૂણની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આ ત્રણેય આરોપીઓની ૮ કલાક સુધી પૂછપરછ કરી હતી અને તેના જીવન, કુટુંબ, વ્યવસાય વગેરે અલગ અલગ માહિતી એકઠી કરવામાં આવી હતી.





પૂછપરછ દરમિયાન લવલેશ તિવારીએ પોતાને કટ્ટર હિન્દુવાદી અને પરશુરામનો વંશજ ગણાવ્યો હતો. લવલેશ સોશિયલ મીડિયા દ્રારા પોતાને ફેમસ બનાવવા માગતો હતો. ત્રણેય હત્યાઓમાંથી સની સીંહ વધારે અપરાધી લાગ્યો હતો. તેમજ ત્રણેય હત્યારાઓએ માફિયા અતિકને મારીને પૈસા અને નામના મેળવવા માગતા હોવાનું રટણ કર્યુ હતું તેમજ સની સિંહે કહ્યું હતું કે, તેને કોઈનું માર્ગદર્શન પ્રા થયુ નથી તે પોતે જ એક ડોન છે. તેમજ અરૂણે કબુલાત કરી હતી કે પાણીપતના એક મિત્રએ તેને હથિયાર આપ્યું હતું જયારે પોલીસે પૂછયું કે તેની પાસે આટલી કિંમતી પિસ્તોલ કેવી રીતે આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે, આ એટલી કિંમતી પિસ્તોલ છે તેની મને ખબર ન હતી પરંતુ એટલી ખબર હતી કે તે એક સારું હથિયાર છે જેનાથી કોઈ બચતો નથી.




સની સિંહે પૂછપરછ દરમિયાન સ્વીકાર્યુ હતું કે તે સુંદર ભાટી સાથે સંપર્કમાં હતો તેમજ જયારે તે હમીરપુર જેલમાં બધં હતો ત્યારે તે સુંદર ભાટીના સંપર્કમાં આવ્યો હતો.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application