વંથલી નજીક કાર અકસ્માતમાં રાજકોટ પોલીસના એએસઆઈનું મોત

  • May 23, 2023 05:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓઝતના પુલ પાસે બે કાર અથડાઈ પડી: સાત ઘાયલ




વંથલી નજીક કેશોદ રોડ પર ઓઝત પુલના વન–વે પર બે કાર અથડાઈ પડતા કારસવાર રાજકોટ શહેર પોલીસના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર એએસઆઈ પંકજ હિરાલાલ દિક્ષીત ઉ.વ.૫૪ રહે.ભારતીનગર સોસાયટી નંદા હોલ પાસે કોઠારિયા રોડનું મોત નીપજતા શહેર પોલીસમાં ભારે શોક છવાઈ ગયો છે.





પ્રા વિગત મુજબ જેતપુર–સોમનાથ હાઈવે પર વંથલી પાસે ઓઝત નદીના પુલ પાસે સમારકામને લઈને વન–વે રસ્તો છે. ગઈકાલે બપોરના અરસામાં જીજે૧૮બીએન ૩૫૭૧ અને જીજે૦૩કેએચ ૧૨૬૭ નંબરની કાર ધડાકાભેર અથડાઈ પડી હતી. બન્ને કારમાં સવાર રાજકોટ સિટી પોલીસના એએઆઈ પંકજ દિક્ષીત, મંથનભાઈ, કરણભાઈ સહિત અન્યો મળી સાતને ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જયાં પંકજભાઈને મૃત જાહેર કરાયા હતા.




ઉના તરફથી દવા લઈને પંકજભાઈ મિત્ર સાથે પરત રાજકોટ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. પંકજભાઈને સંતાનમાં એક પુત્ર–પુત્રી છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા અને તાજેતરમાં થોરાળા પોલીસ મથકે બદલી થઈ હતી. અકસ્માતના પગલે શહેર પોલીસમાં શોકનું મોજુ વ્યાપી ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application