સ્પર્શ કરતા જ બની જશો પથ્થર, પ્રાણીઓ અને પક્ષીઓના મૃતદેહ પણ લાગી રહ્યા છે હુબહુ મૂર્તિ જેવા

  • February 20, 2023 11:16 PM 

આફ્રિકા ખંડના તાન્ઝાનિયા દેશમાં આ રહસ્યમય સરોવર છે. તળાવને સ્થાનિક લોકો નેટ્રોન લેક કહે છે, જે અરુષા ક્ષેત્રના નગોરોંગોરો જિલ્લામાં આવેલું છે. વિશાળ લાલ રંગનું સરોવર કે જ્યાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓની મૂર્તિઓ એટલે કે, મૃતદેહો જોવા મળશે. આ દ્રશ્ય ખૂબ ડરામણું લાગે છે, તેથી જ સ્થાનિક લોકો તે વિસ્તારમાં જતા ડરે છે. રહેવાસીઓ આ તળાવને શ્રાપિત માને છે.


આખરે શું થાય છે કે ત્યાં જતા તમામ પશુ-પક્ષીઓ મૂર્તિ બની જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બધું આ તળાવમાં રહેલા પાણીના કારણે છે. વાસ્તવમાં, આ તળાવમાં હાજર પાણીનું આલ્કલાઇન સામાન્ય તળાવોના પાણી કરતાં વધુ છે. જેના કારણે આ પાણીનું pH લેવલ 10.5 સુધી માપવામાં આવ્યું છે.
​​​​​​​
આ તળાવના પાણીમાં આલ્કલાઇન વધી જવા પાછળનું કારણ ડોઇન્યો લેંગાઇ જ્વાળામુખી છે જે આ તળાવની ખૂબ નજીક છે. આ જ્વાળામુખીમાંથી નીકળતો લાવા આ તળાવમાં જોવા મળે છે અને તે પાણીને આલ્કલાઇન યુક્ત બનાવે છે. તે વિશ્વનો એકમાત્ર જ્વાળામુખી છે જેનો લાવા નાઈટ્રોકાર્બોનેટ ઉત્પન્ન કરે છે. આ તળાવના પાણીમાં આવા ઘણા રસાયણો જોવા મળે છે, જે પ્રાણીઓ અને પક્ષીઓના મૃતદેહોના વિઘટનની પ્રક્રિયાને ધીમી કરે છે, જેના કારણે આ મૃતદેહો બિલકુલ પ્રતિમા જેવા દેખાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application