ભાણવડના વેરાડ નજીક આવેલી નકટી નદી પર આવેલો પુલ વર્ષોથી રેલિંગ વગરનો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારને સાંકળતા આ પુલ પરથી અવારનવાર પશુઓ નીચે ખાબકતા હોવાના બનાવો બને છે. જેમાં ગઈકાલે વધુ એક વખત નકટી નદીના રેલિંગ વગરના પુલ પરથી એક નંદી નીચે પટકાયો હતો. આ બનાવની જાણ થતા આ પંથકના જીવદયા પ્રેમીઓએ દોડી જાઈને બચાવ કાર્ય કર્યું હતું.
અગાઉ અનેક વખત આ પુલ પરથી મનુષ્ય તેમજ અબોલ પશુઓ નીચે પડ્યાના બનાવો બન્યા હતા.
જેમાં પશુએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગંભીર મુદ્દે સ્થાનિક તંત્રને અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ત્યારે આ પુલ પરથી રેલિંગના અભાવે ગૌવંશ તેમજ માનવ જીવ નીચે પડવાનો સિલસિલો કેટલો સમય ચાલુ રહેશે તે જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech