શહીદ જવાન રવિન્દ્રસિંહ જાડેજાના પરિવારને સાંત્વના પાઠવતાં કૃષિમંત્રી

  • August 05, 2023 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે દેશની સેવામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ જવાન રવીન્દ્રસિંહ જાડેજાના પરિવારની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને વીર શહીદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
​​​​​​​
મંત્રીએ આ તકે શહીદ જવાન રવીન્દ્રસિંહને શ્રદ્ધા સુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે દેશ કાજે પ્રાણ ન્યોછાવર કરી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને રવીન્દ્રસિંહે સાચા અર્થમાં ઉજાગર કરી છે. આદિકાળથી ક્ષત્રિયોએ દેશની રક્ષા કાજે પોતાનાં પ્રાણોની આહુતિ આપી દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કર્યું છે ત્યારે ફરી આજે જામનગરના જવાને રાષ્ટ્રહિતમાં પોતાનું બલિદાન આપી જામનગર સહિત સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. માં ભારતી પણ આવા શહીદોના બલિદાન પર ગર્વ અનુભવતી હશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application