ધોરાજીના મોટીમારડ ગામે રહેતા આહિર યુવાનની અહીં ગામ નજીક ચીખલીયા ગામ જવાના રોડ પર મારડિયા માર્ગે તળાવ પાસેથી લાશ મળી આવી હતી. જેથી પોલીસે મૃતદેહનું પીએમ કરાવતા યુવાનને તીક્ષણ હથિયારના ઘા ઝીંકી ગળાટૂંપો દઈ હત્યા કરી હોવાનું માલુમ પડું હતું. જે અંગે મૃતક યુવાનની બહેનની ફરિયાદ પરથી પાટણવાવ પોલીસમાં અજાણ્યા શખ્સ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. યુવાનની હત્યા કરનાર કોણ અને હત્યા પાછળનું કારણ શું? તે જાણવા પોલીસે તપાસ શ કરી છે. એકના એક પુત્રના મોતથી આહિર પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો હતો.
હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે કૃષ્ણનગર સોસાયટી શેરી નંબર–૧ માં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાત ચલાવનાર પ્રવીણ ઉર્ફે ભગો સામંતભાઈ ડેર (ઉ.વ ૪૦) નામનો યુવાન તારીખ ૮ ના રાત્રીના ઘરેથી બાઈક લઈને નીકળ્યા બાદ બીજા દિવસે સવારના તેની મોટીમારડ ગામથી નજીક ચીખલીયા ગામ તરફ જવાના રોડે મારડિયા માર્ગ પાસે લાશ મળી આવી હતી. જેની જાણ થતા પાટણવાવ પોલીસ મથકના પીઆઇ આર.બી.વાઘીયા સહિતનો સ્ટાફ અહીં દોડી ગયો હતો. મૃતદેહ પર ઈજાના નિશાન હોય હત્યા થયાની શંકા ગઈ હતી. જેથી મૃતદેહને પીએમ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં એવું સ્પષ્ટ્ર થયું હતું કે, યુવાનને તીક્ષણ હથિયારના પેટના ભાગે ઘા ઝીંકી દઇ ગળા ટૂંપો આપી તેની હત્યા કરવામાં આવી છે.
મૃતક યુવાન એક ભાઈ એક બહેનના પરિવારમાં મોટો હતો અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. છ વર્ષ પૂર્વે તેના છૂટાછેડા થઈ ગયા હોવાનું માલુમ પડું છે. બનાવા અંગે મૃતક યુવાનની નાની બહેન ભાવનાબેન સામંતભાઈ ડેર (ઉ.વ ૩૬) ની ફરિયાદ પરથી પાટણવાવ પોલીસે અજાણ્યા શખસો સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. યુવાનની હત્યા પાછળનું કારણ શું અને તેની હત્યા કરનાર શખસો કોણ તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શ કર્યેા છે.એકના એક પુત્રને ગુમાવતા આહિર પરિવારમાં શોક છવાય ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'જો પાર્ટીને મારી જરૂર નથી, તો વિકલ્પો ખુલ્લા છે', શશિ થરૂરે કોંગ્રેસને આપ્યો સીધો સંદેશ
February 23, 2025 01:23 PM'ભારત આપણો ફાયદો ઉઠાવે છે...', ટ્રમ્પે ફરી USAID ફંડિંગ પર કરી વાત; કહ્યું- તેને પૈસાની જરૂર નથી
February 23, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech