તળાજાના સાંકડાસર ગામની કેનાલમાં યુવાનનું ડૂબી જતા મોત

  • March 09, 2023 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

નગરપાલિકાના ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની ટીમ દ્વારા ભારે જહમત બાદ યુવાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો


તળાજાના સાંકડાસર ગામ પાસે આવેલ કેનાલમાં નાહવા પડેલ યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ ને થતા ની સાથે જ પોલીસ કાફલા સાથે તરવૈયાઓની ટીમ દ્વારા યુવાનની શોધખોળ કરી હતી ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવતા પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી


આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ તળાજા ખાતે રહેતા અલ્પેશ મનુભાઈ બારૈયા

તળાજા થી મહુવા જતા હાઇવે ઉપર સાંકડાસર ગામના પાટીયા પાસે થી કેનાલમાં પડી ગયો હતો દરમિયાનમાં આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ની સાથે જ પોલીસ કાફલા સાથે તરવૈયાઓની ટીમ દ્વારા કેનાલમાં પડી ગયેલા યુવાનની શોધ ખોળ હાથ ધરી હતી તરવૈયાઓની ટીમ દ્વારા ભારે જહમત બાદ યુવાનનો મૃતદેહ ઉંડા પાણીમાં થી મળી આવ્યો હતો મૃતદેહને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતું આ ઘટનાની જાણ થતા આસપાસના ગ્રામજનો અને આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગામના યુવાનો દ્વારા પણ મૃતદેહ ની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application