એક જેકેટ બન્યું નિર્મમ હત્યાનું કારણ, પતિએ પત્નીને બેરહેમીથી મોતને ઘાટ ઉતારી!

  • January 09, 2023 06:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છાપરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, પતિએ જેકેટની માંગ પૂરી ન કરવા પર પત્નીની હત્યા કરી નાખી હોવાનો બનાવ બન્યો છે. મૃતકનું નામ રિતિકા કુમારી છે, જે છપરાના મંગાઈડીહ ગામની રહેવાસી હતી. રિતિકાના લગ્ન 8 મહિના પહેલા વૈશાલીના કાલી ચરણ સિંહ ઉર્ફે બુલબુલ સિંહ સાથે થયા હતા. મૃતકના પરિજનોનો આરોપ છે કે રિતિકાને લગ્ન બાદથી દહેજની માંગણી કરીને ત્રાસ આપવામાં આવતો હતો.


પરિવારજનોના જણાવ્યા પ્રમાણે રિતિકાની હત્યાના 2 દિવસ પહેલા જ જેકેટ માટે તેણીને ટોર્ચર કરવામાં આવી હતી, જેની જાણ તેણીએ માતાને કરી હતી. આ સંદર્ભે, વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.


સંબંધીઓના જણાવ્યા અનુસાર લગ્નના સમયથી તેમની પુત્રીને ફોર વ્હીલર અને અન્ય સામાન માટે હેરાન કરવામાં આવી રહી હતી. દીકરી ઘરે ન પહોંચી શકે તે માટે મોબાઈલનો સિમ નંબર પણ બદલી નાખ્યો હતો. 7 મહિના પછી એટલે કે 2 જાન્યુઆરી 2023ના રોજ અચાનક સવારે 7:30 વાગ્યે સાસરિયાઓએ ફોન કરીને કહ્યું કે તમારી દીકરીની તબિયત બગડી છે, જલ્દી આવો. જ્યારે વાસ્તવિકતા એવી હતી કે જમાઈ અને ઘરના અન્ય સભ્યોએ મળીને તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસે પણ તેને હત્યાનો મામલો ગણાવ્યો છે, કારણ કે ગળા પરના ડાઘ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application