રાજકોટમાં TRP ગેમઝોનમાં માલિકો ભરાવતા મોતનું ફોર્મ, જેમાં લખ્યું હોય છે કે, "જો કંઈ થાય તો જવાબદારી અમારી નહીં"

  • May 26, 2024 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં TRP ગેમઝોનમાં બનેલા અગ્નિકાંડમાં 32 લોકો મોતને ભેટ્યા છે. શનિવાર રાજકોટ માટે ગોઝારો સાબિત થયો હોય અને વધુ એક રાજકોટને કાળો ટીકો લાગ્યો હોય તે પ્રકારની આ ઘટનામાં 9 બાળકો સહિત 32 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં મહત્વની એક વાત પણ સામે આવી છે. જેમાં ગેમઝોનના માલિકો મોતનું ફોર્મ ભરાવતા હતા. જે લોકો ગેમ્સ રમવા આવતા હતા તેમની પાસે પહેલા આ ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. 


આ ફોર્મની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, જો કોઈને ઈજાઓ કે કોઈનું મોત થાય છે તો તેમાં ગેમ્સ જવાબદાર નહીં રહે. તમે કોઈપણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમ્સની રહેશે નહીં. પહેલેથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application