લોધીકાના વીરવામાં અષાઢી બીજે ધ્વજા ચડાવતી વેળાએ કરંટ લાગતા યુવાનનું મોત

  • July 08, 2024 04:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધિકા તાલુકાના વીરવા ગામે અષાઢી બીજે મંદિરે ધ્વજા ચડાવતી વેળાએ પટેલ યુવાનને જોરદાર વીજ કરંટ લાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે યુવાનનું મોત યું હતું.જયારે ગોંડલમાં મંદિરે ધ્વજા ચડાવતી વેળાએ બે યુવાનને વીજ કરંટ લાગતા દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.



લોધિકા તાલુકાના વીરવા ગામે રહેતા ભરતભાઇ કડવાભાઇ ખુંટ(ઉ.વ ૪૧) નામના યુવાન ગઇકાલે અષાઢી બીજ હોવાી ગામમાં ધાર્મિક માહોલ હોય આ વચ્ચે યુવાન અહીં આવેલા બાપાસીતારમ મંદિરમાં ધ્વજા ચડાવવા માટે ઉપર ચડતા અહીં ઉપરી પસાર તી વીજલાઇનને યુવાને અકસ્માતે અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.જેી તે નીચે પટકાતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.અહીં સારવાર કારગડ નીવડે તે પૂર્વે યુવાનનું મોત યું હતું.
બનાવને પગલે લોધિકા પોલીસ મકના હેડ કોન્સ. વિપુલભાઇ ગુજરાતીએ જરૂરી કાર્યવાહી કરી હતી.પોલીસની પ્રામિક તપાસમાં પટેલ યુવાન ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.ધાર્મિક પ્રસંગ વચ્ચે યુવાનના મોતી નાના એવા ગામમાં વાતાવરણ શોકમય બની ગયું હતું.


જયારે અન્ય બનાવમાં ગોંડલના આશાપુરા ફાટક પાસે મામાદેવના મંદિર સ્મૃતિ પાસે અષાઢી બીજને લઇ મંદિરમાં ધ્વજા ચડાવતી વેળાએ આશિષ તનભાઇ બારોટ(ઉ.વ ૨૦ રહે.ગુંદાસરા તા.ગોંડલ) વીજ લાઇનને અડી જતા તેને કરંટ લાગ્યો હતો.જેી તને ખેંચવા જતા ગોપાલ લલીભાઇ દાવડા(ઉ.વ ૨૭ રહે. ખરેડીનગર ગોંડલ) ને પણ વીજ શોક લાગતા બંને દાઝી ગયા હતાં.જેી તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application