બુધેલ ગંગામૈયાના મંદિર પાસે અકસ્માતમાં યુવાનનું મોત

  • December 02, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર તળાજા હાઇવે પર બુધેલ ગંગામૈયાના મંદિર પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર તળાજા હાઇવે રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ઘોઘા તાલુકાના નેસવડ ગામના યુવાનનું અકસ્માતમાં મોત થયું હતું. ઘોઘા તાલુકાના નેસવડ ગામે રહેતો વિશાલ પ્રેમજીભાઈ ડાભી (ઉ.વ.૨૪) પોતાનું બાઈક લઇને ભાવનગરથી નેસવડ જઈ રહ્યો હતો. ત્યારે બુધેલ ગંગામૈયાના મંદિર નજીક ટ્રક અડફેટે આવી જતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવાનને ૧૦૮ એમ્બયુલેન્સમાં તાતકાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની ઘટનાને પગલે મૃતક યુવાનના ભાઈ કૃણાલભાઈ ડાભીએ ટ્રક ચલાક સામે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application