રિદ્ધિ સિદ્ધિના નાલા પાસે પુલ પરથી ટ્રેન હેઠળ ઝંપલાવી યુવકનો આપઘાત

  • July 15, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ રોડ પર રિદ્ધિ સિદ્ધિના નાલા પાસે પરપ્રાંતીય યુવાને પુલ પરથી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. શાપરમાં રહેતો યુવાન અટીકા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં મજૂરીકામ કરતો હતો યુવાને ક્યાં કારણસર આ પગલું ભરી લીધું તે જાણી શકાયું નથી. આ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલ રાત્રિના 9:30 વાગ્યા આસપાસ રિદ્ધિ સિદ્ધિના નાલા પાસે ટ્રેન પસાર થતી હતી ત્યારે એક્સ શખએ પુલ પરથી છલાંગ લગાવતા ટ્રેન હડફેટે ચડી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવના પગલે 108 ના ઇએમટીએ અહીં આવી જોઈ તપાસી આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરનાર આ યુવાનનું નામ અમિતકુમાર જ્વાલાસિંહ બોદારા(ઉ.વ 19) હોવાનું માલુમ પડ્યું હતું. યુવાન મૂળ રાજસ્થાનનો વતની હોય અને હાલ શાપરમાં રહેતો હતો અટીકામાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પાર્સલની મજૂરીનું કામ કરતો હતો. યુવાને કયાં કરમસર આ પગલું ભરી લીધું તે જાણી શકાયું નથી. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application