જેતપુરમાં ગોંડલ દરવાજા પાસે રહેતા યુવાનને અને જેતપુરમાં જ રહેતા શખસે મોબાઇલમાં ફોટા જોવા બાબતે ઝઘડો કરી તેના પર તલવાર વડે હુમલો કરી દીધો હતો. તેમજ યુવાનને જ્ઞાતિ અંગે અપમાનિત કર્યો હતો. આ અંગે યુવાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે મારામારી અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં ગોંડલ દરવાજા પાસે રહેતા અને મજૂરી કામ કરનાર સુનિલ કરસનભાઈ કંટારીયા(ઉ.વ ૪૪) દ્વારા જેતપુર સીટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં સામાકાંઠા વિસ્તારમાં રહેતા સાજીદ ઉર્ફે સાજલો હાજીભાઈ શેખનું નામ આપ્યું છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૨૧/૨ ના રોજ રાત્રિના ૯:૩૦ વાગ્યા આસપાસ તે પાનની દુકાને ફાકી ખાવા માટે ગયો હતો ત્યારે ફૂલવાડીમાં આવેલ બાવરી ફેશન નામની દુકાન પાસે પહોંચતા અહીં સામા કાંઠા વિસ્તારમાં રહે તો સાજીદ ઉર્ફે સાજલો બાઈક લઈને ઉભો હોય તેને યુવાનને જોતા ગાળો આપી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. યુવાને ગાળો આપવાની ના કહેતા સાજીદે ઉશ્કેરાઈ પોતાની પાસે રહેલ તલવાર વડે યુવાન પર હુમલો કરી દેતા તેને કપાળથી લઈ નાક સુધી ઈજા પહોંચી હતી દરમિયાન અહીં લોકો એકત્ર થઈ જતા સાજીદ અહીંથી નાસી ગયો હતો બાદમાં યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, બનાવ બન્યો તે દિવસે બપોરના સમયે તેની પત્ની શર્મિલાબેન અને આરોપીની સ્ત્રી મિત્ર રમીલા બંને યુવાનના મોબાઈલમાં ફોટા જોતા હોય જે સાજીદ જોઈ જતા તેને આ બાબતે યુવાન અને તેની મિત્ર વચ્ચે કોઈ સંબંધ હોય તેવી શંકા જતા તે બાબતનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.યુવાનની ફરિયાદ પરથી જેતપુર સીટી પોલીસે આરોપી સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech