12 દિવસ પહેલા જાંબુડા વાડીએ ઝેરી ટીકડા ખાઇ કુવામાં ઝંપલાવ્યું : સારવારમાં દમ તોડયો
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે આવેલી વાડીએ પટેલ યુવાને બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ કુવામાં પડી જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે.
જામનગરના રાજપાર્કની બાજુમાં જડેશ્ર્વર સ્ટોરેજની પાછળ રહેતા વેપારી અમિત હરીશભાઇ ભેસદડીયા (ઉ.વ.39) નામના યુવાનને છેલ્લા બે-ત્રણ વર્તનથી બ્લડપ્રેશર અને ડાયાબીટીસની બિમારી હોય જેની દવા ચાલુ હતી, દરમ્યાન આ બિમારીના કારણે તેઓ ગુમસુમ રહેતા હોય અને કંટાળી ગયા હતા.
ગત તા. 24ના રોજ બિમારીથી કંટાળીને અમિતભાઇએ જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ વાડીએ ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ કુવામાં પડી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે.
આ બનાવ અંગે રાજપાર્કની બાજુમાં રહેતા કેતન હરીશભાઇ ભેસદડીયાએ ગઇકાલે પંચ-એમાં ઉપરોકત બનાવની જાણ કરી હતી, જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પટેલ યુવાનના આપઘાતના બનાવથી પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMઆજે પિતૃપક્ષનું તૃતીયા શ્રાદ્ધ, જાણો તર્પણ અને પિંડ દાનની સાચી રીત
September 20, 2024 11:15 AMએસ.ટી. ડેપો નજીકના તળાવનામાંથી મૃતદેહ મળ્યો
September 20, 2024 11:15 AMઆઈફોન 16ની દિવાનગી : વેચાણ શરૂ થતાં સ્ટોરની બહાર લાંબી લાઈનો લાગી
September 20, 2024 11:15 AMયુરોપમાં ફેલાયેલો કોરોનાનો નવો વેરિયન્ટ જોખમી બની શકે: ચેતવણી
September 20, 2024 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech