જામનગરના વેપારી યુવાનનો બિમારીથી કંટાળી આપઘાત

  • October 06, 2023 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

12 દિવસ પહેલા જાંબુડા વાડીએ ઝેરી ટીકડા ખાઇ કુવામાં ઝંપલાવ્યું : સારવારમાં દમ તોડયો


જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે આવેલી વાડીએ પટેલ યુવાને બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઇ કુવામાં પડી જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે.


જામનગરના રાજપાર્કની બાજુમાં જડેશ્ર્વર સ્ટોરેજની પાછળ રહેતા વેપારી અમિત હરીશભાઇ ભેસદડીયા (ઉ.વ.39) નામના યુવાનને છેલ્લા બે-ત્રણ વર્તનથી બ્લડપ્રેશર અને ડાયાબીટીસની બિમારી હોય જેની દવા ચાલુ હતી, દરમ્યાન આ બિમારીના કારણે તેઓ ગુમસુમ રહેતા હોય અને કંટાળી ગયા હતા.


ગત તા. 24ના રોજ બિમારીથી કંટાળીને અમિતભાઇએ જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ વાડીએ ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઇ કુવામાં પડી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે.


આ બનાવ અંગે રાજપાર્કની બાજુમાં રહેતા કેતન હરીશભાઇ ભેસદડીયાએ ગઇકાલે પંચ-એમાં ઉપરોકત બનાવની જાણ કરી હતી, જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પટેલ યુવાનના આપઘાતના બનાવથી પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application