જામનગરમાં એસીડ ગટગટાવી મહિલાનો આપઘાત

  • May 20, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિ.પ્લોટમાં છાતીમાં દુ:ખાવાથી યુવાનનો ભોગ લેવાયો

જામનગરના મયુરનગર પ્રજાપતીની વાડી પાસે રહેતા મહિલાએ કોઇ કારણસર એસીડ પી લેતા તેણીનું મૃત્યુ થયું છે, જયારે દિ.પ્લોટ-૫૮ના યુવાનનું છાતીમાં દુ:ખાવાથી મૃત્યુ નિપજયુ હતું.
જામનગરના મયુરનગર પ્રજાપતીની વાડી પાસે રહેતી ગીતાબેન કાન્તીભાઇ બગડા (ઉ.વ.૪૨) નામની મહિલાએ કોઇ અગમ્ય કારણસર એસીડ પી લેતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયું છે. આ અંગે અરજણભાઇ બગડા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા કયા કારણસર પગલુ ભર્યુ એ દીશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં જામનગરના દિ.પ્લોટ-૫૮માં રહેતા જીતેન્દ્ર શંકરલાલ ભદ્રા (ઉ.વ.૪૪) નામના યુવાનને અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયાનું વેપારી હિતેશ ચંદુલાલ ભદ્રા દ્વારા સીટી-એમાં જાણ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application