અસ્થમાના દર્દીઓ માટે એસી કેમ છે ખતરનાક?

  • May 30, 2024 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અસ્થમાના દર્દીઓએ સાવચેતીઓનું પાલન કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં એરકંડીશનરના સતત સંપર્કમાં રહેવાથી ફેફસાંને નુકસાન થઈ શકે છે. જો અસ્થમાના દર્દીઓ એસી રૂમમાં લાંબા સમય સુધી બેસી રહે છે તો તેમણે કેટલીક ખાસ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.


ઉનાળાની ઋતુમાં ઘણા લોકો એર કન્ડીશનર એટલે કે એસીનો ઉપયોગ કરે છે. ઘરથી લઈને ઓફિસ સુધી લોકો પોતાનો મોટાભાગનો સમય ACમાં વિતાવે છે. અસ્થમાના દર્દી માટે એસી કેમ ખતરનાક છે? એરકન્ડિશન્ડ હવા અસ્થમાના દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી છે.


અસ્થમા એક પ્રકારનો શ્વાસ સંબંધી રોગ છે. આ રોગમાં શ્વસન માર્ગમાં સોજો અને ફેફસામાં ચેપ લાગે છે. જેના કારણે શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થાય છે. AC માં સતત બેસી રહેવાથી દર્દીઓની મુશ્કેલીઓ વધી શકે છે.


ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો એસીનો ઉપયોગ કરે છે જે અસ્થમાના દર્દી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જ્યારે એસી રૂમમાં હાજર કણો હવા સાથે ભળી જાય છે અને શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તે ફેફસાને ખૂબ નુકસાન પહોંચાડે છે. જો અસ્થમાનો દર્દી AC હોય ત્યાં લાંબો સમય બેસે તો તેના માટે મુશ્કેલી વધી શકે છે. આ કારણે તેઓને અસ્થમાનો હુમલો પણ આવી શકે છે. માટે અસ્થમાના દર્દીએ એસીમાં બેસતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.


જો સતત AC માં બેસો છો તો આ સાવચેતીઓનું પાલન કરો


જો એસીમાં બેસો છો તો ઘર સાફ રાખો. ઘરમાં સહેજ પણ ધૂળ કે ગંદકી ન હોવી જોઈએ. એસીની સફાઈનું ખાસ ધ્યાન રાખો.


AC ફિલ્ટર સાફ રાખો. ACનું તાપમાન હંમેશા 25 ડિગ્રી સેલ્સિયસ રાખો. જો નવું એસી ખરીદવા જઈ રહ્યા છો તો પ્યુરિફાયર ખરીદો. જો અસ્થમાના દર્દીઓ ACમાં બેસે તો તેમણે માસ્ક પહેરવું જ જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application