તમાચણના બોરવેલ પ્રકરણમાં વાડીમાલિક જેલ હવાલે

  • June 07, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકાના તમાચાણ ગામમાં ખુલ્લા બોરવેલમાં પડી જવાના કારણે એક માસુમ બાળકીની જિંદગી છીનવાઇ ગયા પછી ખુલ્લો બોરવેલ મૂકી દેનાર વાડી માલિક સામે મનુષ્યવધ અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી લીધા પછી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
જામનગર તાલુકાના તમાચણ ગામમાં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી રોશની કે જેનું ખુલ્લા બોરમાં પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું. જે ખુલ્લો બોરવેલ મૂકી દેનાર વાડી માલિક ચંદુભાઈ ગોવિંદભાઈ ગોહિલ સામે મનુષ્યવધ અંગેનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
જે ખુલ્લો બોરવેલ મૂકી દઈ બેદરકારી દાખવનાર વાડી માલિક ચંદુભાઈ ગોવિંદભાઈ ગોહિલ ની પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી, અને તેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં અદાલતે તેને જેલમાં ધકેલી દેવા હુકમ ફરમાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application