વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

  • June 30, 2024 12:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતે કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2007ના ચેમ્પિયન ભારતે 176-7નો સ્કોર કર્યો હતો. વિરાટ કોહલીએ (76)  આ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી અને અક્ષર પટેલે 47 રનની ઇનિંગ રમીને ભારતને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું.


કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરતા કહી આ વાત

વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિરાટે કહ્યું કે હવે આગામી પેઢીને કમાન સોંપવાનો સમય આવી ગયો છે. આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો, આ બિલકુલ તે જ છે કે જે તમે હાંસીલ કરવા માંગો છો. એક દિવસ તમને લાગે છે કે તમે રન બનાવી શકતા નથી અને એવું થાય છે, ભગવાન મહાન છે. માત્ર એક તક આપે છે. ભારત માટે આ મારી છેલ્લી T20 મેચ હતી. અમે આ કપ ઉપાડવા માગતા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application