- સુપ્રિન્ટેન્ડેન્ટ વિશ્વ વિજય સિંહ સામે દિલ્હીના એક કેસમાં ગેરવર્તણૂક અંગે કાર્યવાહી
- એનસીપી મંત્રી નવાબ મલિકના આક્ષેપો બાદ સિંહ સામે તપાસ શરુ કરાઇ હતી
બોલીવૂડ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તે સૌને યાદ છે, હવે આ દરોડામાં એનસીબીની ટીમમાં સામેલ એક અધિકારીનો મામલો સામે આવ્યો છે. જેમને સેવામાંથી બરતરફ કરવામાં આવતા ચર્ચા જાગી છે.
ઓક્ટોબર 2021માં મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝમાં વી વી સિંહે ટીમ સાથે દરોડા પાડ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કેટલાકની ધરપકડ કરાઇ હતી. રેડ પાડનારી એનસીબીની ટીમમાં સામેલ સુપ્રીટેન્ડેન્ટ વિશ્વ વિજય સિંહને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. અન્ય એક કેસમાં દુરાચાર મામલે એજન્સીએ આ નિર્ણય લીધો હોવાના અહેવાલ છે.
હાલમાં આસામમાં પોસ્ટ કરાયેલા ક્લાસ 2ના અધિકારી વી વી સિંહને ગયા મહિને જ બરતરફની નોટિસ આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સિંહને સિવિલ સર્વિસ કંડક્ટ રૂલ્સ હેઠળ બરતરફ કરવામાં આવ્યા છે. એનસીબી સુપ્રીટેન્ડેન્ટ, જેઓ ક્રૂઝ પર ઓક્ટોબર 2021માં પાડવામાં આવેલા દરોડાનો ભાગ હતા, તેમણે દિલ્હીના કેસમાં ગેરવર્તણૂક માટે એજન્સી તરફથી બરતરફ કરાયા બાદ, એક અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉ આ કેસમાં તેમને સસ્પેન્ડ કરાયા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી.
તેમને અન્ય કેસના સંબંધમાં સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા, જેમાં તેમને પહેલા સસ્પેન્ડ કરાયા હતા અને તપાસ શરૂ કરવામાં આવી હતી. એનસીપી મંત્રી નવાબ મલિકના આક્ષેપો બાદ રચવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પણ તેમની તેમની તપાસ કરવામાં આવી હતી', તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. મલિકે ગંભીર આક્ષેપો લગાવતા કહ્યું હતું કે, ક્રૂઝ પર એનસીબી દ્વારા જે રેડ પાડવામાં આવી હતી તે બધું નકલી હતું. એનસીબીની ઓફિસમાં અધિકારીઓએ આર્યન ખાન સાથે લીધેલી સેલ્ફી તે વાતની સાબિતી છે.
વિશ્વ વિજય સિંહને ગયા વર્ષે એપ્રિલમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે એનસીબી દ્વારા તેમના આચરણ અંગે તપાસ કરવામાં આવી રહી હતી. તપાસ હાલમાં ગેરવર્તણૂકના અસંબંધિત કેસમાં પૂર્ણ કરવામાં આવી હતી અને તેમને બરતરફ કરવાનો નિર્ણય લેવાયો હતો, તેમ અધિકારીએ ઉમેર્યું હતું.
એનસીબીના ડિરેક્ટર સત્ય નારાયણ પ્રધાને વી વી સિંહને બરતરફ કરાયા હોવાની વાતની પુષ્ટિ કરી હતી પરંતુ વધારે કંઈ જાણકારી આપવાનો ઈનકાર કર્યો હતો. પૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે સહિત એનસીબીની મુંબઈની ટીમ વિરુદ્ધ લાગેલા આરોપો બાદ અલગ વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી, જે નવેમ્બર 2021માં પૂરી થઈ હતી.
પરિણામે, સાત અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જો કે, તપાસના તારણો લોકો સમક્ષ જાહેર કરવામાં આવ્યા નથી. વાનખેડેને બાદમાં ચેન્નઈના ડીજી ટેક્સપેયર સર્વિસ ડિરેક્ટોરેટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
2 ઓક્ટોબર, 2021ના રોજ આર્યન ખાનની મુંબઈ ઈન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિશન પરથી કોર્ડેલિયા ક્રૂઝ પર વાનખેડેની આગેવાનીમાં રેડ પાડી ધરપકડ કરવામાં આવી હતી. ગત વર્ષે મે મહિનામાં એસઆઈટી દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પ્રતિબંધિત વસ્તુ ન મળી હોવાનું કહીને શાહરુખના દીકરાને ક્લીનચીટ આપી હતી. એનસીબીએ તેવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે, આર્યન ઈન્ટરનેશનલ સિંડિકેટનો ભાગ હતો પરંતુ આરોપો સાબિત થયા નહોતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech