ઉર્વશી રૌતેલા 46 કિમી ખુલ્લા પગે ચાલી

  • April 08, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઋષભ પંત જલ્દી સાજો થઈ જાય તે માટે  માનતા રાખી હોવાની ચર્ચા


ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉર્વશી રૌતેલા બહુ મોટુ નામ ભલે ન ગણાતું હોય, પરંતુ તે હમેંશા ચર્ચામાં જરૂર રહે છે. હાલમાં જ એવી વાત સામે આવી હતી કે ઉર્વશી ક્રિકેટર ઋષભ પંતને ડેટ કરી રહી છે, અને બન્ને લગ્ન પણ કરવાના છે, જો કે એકટ્રેસને જ્યારે આ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મૌન સેવ્યું હતું. હવે ખબર સામે આવી છે કે ગત વર્ષે જ્યારે ઋષભ પંતને અકસ્માત નડ્યો ત્યારે તે ખુબજ ચિતિંત રહેતી હતી તે હોસ્પિટલમાં ઋષભ પંતને મળવા માટે પણ ગઇ હતી. 


કહેવામાં આવે છે કે ઋષભ પંત આઇપીએલમાં પાછો ફરે તે માટે ઉર્વશીએ બાધા રાખી હતી. 

જો ઋષભ પંત આઇપીએલમાં પાછો ફરશે તો તેણે 'તારા બાબા કી કુટિયા' પહોંચી દર્શન કરવાની બાધા રાખી હતી 

તેની પ્રાર્થના સફળ થતા તે 46 કિલોમીટર સુધી ઉઘાડા પગે ચાલીને 'તારા બાબાકી કુટિયા' પહોંચી હતી 

જો કે આ વાતને લઇને હજુ સુધી ન તો ઋષભ પંતે કોઇ પુષ્ટિ કરી છે કે ન તો ઉર્વશીએ કોઇ પુષ્ટિ કરી છે.

ફેન્સને જ્યારથી આ વાતની ખબર પડી છે ત્યારથી તેઓ આ જોડીને લઇને ખુબજ ખુશ છે. 

ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે ઋષભ અને ઉર્વશી ક્યારે લગ્નના બંધનમાં બંધાય છે 






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application