વોર્ડ નં. ૪ માં વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરવા લોકોની ઉગ્ર માંગ: આવેદન

  • July 11, 2023 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પડેલા વરસાદ બાદ વોર્ડ નં. ૪ માં નવાગામ ઘેડ સહિતના આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાઇ ગયેલ છે, જેના લીધે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે, ભીમવાસ-૧ એ, ૧-૨-૩ વિસ્તાર ખૂબ જ નિચાણવાળા હોય, કેનાલ ભરાઇ જવાથી વરસાદનું પાણી ઘરે આવી જાય છે, આમ અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્ર્ન ઉકેલાયો નથી, અગાઉના કમિશ્નરે વોટર સ્ટ્રીમ એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે લાઇન નાખવાની વાત કરી હતી અને સર્વે પણ થયો હતો, ઉપરાંત અંબર ચોકડી, ભીમવાસ અને નવાગામ ઘેડના ઢાળીયા કેનાલ સુધી કેનાલ મંજુર થયેલ હોવા છતાં આજ દિવસ સુધી આરસીસી કેનાલ કરવામાં આવેલ નથી, જેના કારણે સ્વામીનારાયણની કેનાલ જે નદીના પટમાં જાય તેમાં કેટલાક બિલ્ડરો દ્વારા મોરમ, માટી અને કચરો નાખવાથી કેનાલ મોટાભાગની બુરાઇ ગઇ છે, મધુવન સોસાયટીમાં પાઇપ નદીના પટમાં નાખેલ છે અને નાના પાઇપ હોવાથી પાણી જઇ શકતું નથી, કેટલાક વિસ્તારોમાં ગંદુ પાણી આવે છે અને લોકોના આરોગ્ય પર જોખમ છે, આ અંગે ઘટતું કરવાની રજૂઆત વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની આગેવાની હેઠળ ડીએમસી ભાવેશ જાનીને આપેલા આવેદનપત્ર કરી છે, આ આવેદનપત્ર આપતી વખતે કોર્પોરેટર જૈનબ ખફી, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application