સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરેક ગામમાં ગંદા પાણીના નિકાલના સંબંધે વ્યવસ્થાપન ઉભું કરાશે

  • January 08, 2024 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમામ ગામડાઓમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે વિવિધ તત્રં કામે લાગેલા છે. તેમાં જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગટર લાઇનોના કામ કરવાની સાથે સોક પીટ બનાવવા માટે આયોજન કરવામાં આવનાર છે. તત્રં દ્રારા આ સંબંધે રોડ મેપ તૈયાર કરવાની કામગીરી પણ કરવાની રહેશે. ગંદા પાણીના યોગ્ય નિકાલ અને ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની બાબત પર દેશ આખામાં લાગુ પાડીને સ્વચ્છ ભારત મિશન નામથી અભિયાન છેડવામાં આવ્યું છે. આ પૈકીની યોજનાઓ કેન્દ્ર સરકાર ૭૫ ટકા અને રાય સરકાર ૨૫ ટકા ખર્ચ ઉઠાવે તે પ્રકારે અમલી બનાવવામાં આવી છે. તેમાં શ્રમદાન, સમયદાન અને લોક ભાગીદારીની બાબતોને પણ સમાવી લેવામાં આવી છે. તેની સાથે ગંદકીના મુદ્દે લોક જાગૃતિ કેળવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે. તેમ આ સંબંધમાં રાયના પંચાયત વિભાગના અધિકારી સુત્રો દ્રારા જણાવવામાં આવ્યુ હતું. શહેરના જેવી વ્યવસ્થા ઉભી કરવાની સાથે ગામડાઓમાં ગંદા પાણીના નિકાલ માટે રહેવાસીઓ દ્રારા જાતે બનાવવામાં આવેલી નીક જેવી સ્થિતિનો આગામી દિવસોમાં અતં લાવી દેવા માટે ગટર લાઇનના કામ કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે કચરાનું વહન અટકાવવા માટે સોક પીટ પણ બનાવવામાં આવશે. પરિણામે ગંદા પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા વધુ મજબુત બનશે. આગામી દિવસોમાં તમામ ગામડાઓમાં આ કામગીરી હાથ ધરવાની રાયના તમામ જિલ્લ ામાં સુચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application