સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમામ ગામડાઓમાં ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે વિવિધ તત્રં કામે લાગેલા છે. તેમાં જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સી દ્રારા પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગટર લાઇનોના કામ કરવાની સાથે સોક પીટ બનાવવા માટે આયોજન કરવામાં આવનાર છે. તત્રં દ્રારા આ સંબંધે રોડ મેપ તૈયાર કરવાની કામગીરી પણ કરવાની રહેશે. ગંદા પાણીના યોગ્ય નિકાલ અને ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની બાબત પર દેશ આખામાં લાગુ પાડીને સ્વચ્છ ભારત મિશન નામથી અભિયાન છેડવામાં આવ્યું છે. આ પૈકીની યોજનાઓ કેન્દ્ર સરકાર ૭૫ ટકા અને રાય સરકાર ૨૫ ટકા ખર્ચ ઉઠાવે તે પ્રકારે અમલી બનાવવામાં આવી છે. તેમાં શ્રમદાન, સમયદાન અને લોક ભાગીદારીની બાબતોને પણ સમાવી લેવામાં આવી છે. તેની સાથે ગંદકીના મુદ્દે લોક જાગૃતિ કેળવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે. તેમ આ સંબંધમાં રાયના પંચાયત વિભાગના અધિકારી સુત્રો દ્રારા જણાવવામાં આવ્યુ હતું. શહેરના જેવી વ્યવસ્થા ઉભી કરવાની સાથે ગામડાઓમાં ગંદા પાણીના નિકાલ માટે રહેવાસીઓ દ્રારા જાતે બનાવવામાં આવેલી નીક જેવી સ્થિતિનો આગામી દિવસોમાં અતં લાવી દેવા માટે ગટર લાઇનના કામ કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે કચરાનું વહન અટકાવવા માટે સોક પીટ પણ બનાવવામાં આવશે. પરિણામે ગંદા પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા વધુ મજબુત બનશે. આગામી દિવસોમાં તમામ ગામડાઓમાં આ કામગીરી હાથ ધરવાની રાયના તમામ જિલ્લ ામાં સુચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech