અમેરિકાએ એક ડઝનથી વધુ કંપ્નીઓ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી હતી. યુ.એસ.એ ઈરાની સૈન્ય વતી ગેરકાયદે વેપાર અને માનવરહિત હવાઈ વાહન (યુએવી) ટ્રાન્સફરની સુવિધા આપવા બદલ ત્રણ ભારતીય કંપ્નીઓ સહિત એક ડઝનથી વધુ કંપ્નીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન ઈરાની માનવરહિત હવાઈ વાહનોના અપ્રગટ વેચાણમાં પ્રતિબંધિત કંપ્નીઓ, વ્યક્તિઓ અને જહાજોની ભૂમિકા હતી.યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ અનુસાર, સહારા થંડર આ પ્રયાસોના સમર્થનમાં ઈરાનની વ્યાપારી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખતી અગ્રણી કંપની છે. સહારા થંડરને સપોર્ટ કરતી ત્રણ ભારતીય કંપ્નીઓ જેન શિપિંગ, પોર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને સી આર્ટ શિપ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ છે.વિભાગે જણાવ્યું હતું કે સહારા થંડર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના , રશિયા અને ઈરાનના સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળો લોજિસ્ટિક્સ વતી ઈરાની માલસામાનના વેચાણ અને શિપમેન્ટમાં સંકળાયેલા વિશાળ શિપિંગ નેટવર્ક પર આધાર રાખે છે.
ઈરાનમાં સહારા થંડરની મોટી ભૂમિકા
સહારા થંડર ઈરાનના હજારો યુએવીની ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને વેચાણમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આમાંથી ઘણા યુક્રેન સામેના યુદ્ધમાં ઉપયોગ કરવા માટે રશિયાને આપવામાં આવ્યા હતા. સહારા થંડરે 2022 થી કોમોડિટીના અનેક શિપમેન્ટનું આયોજન કરવા માટે ઉપયોગ કર્યો છે. ઈરાન સ્થિત અરસાંગ સેફ ટ્રેડિંગ કંપ્નીએ સહારા થંડર-સંબંધિત શિપમેન્ટના સમર્થનમાં શિપ મેનેજમેન્ટ સેવાઓ પ્રદાન કરી છે.બ્રાયન નેલ્સન કે જેઓ અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ટેરરિઝમ અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ છે તેમને જણાવ્યું હતું કે ’યુનાઇટેડ સ્ટેટ્સ, અમારા બ્રિટિશ અને કેનેડિયન ભાગીદારો સાથે ગાઢ સંકલન કરીને, ઇરાનની અસ્થિર પ્રવૃત્તિઓને નાણાં પૂરા પાડનારાઓ સામે લડવા માટે ઉપલબ્ધ તમામ સાધનોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.ઈરાનનું સંરક્ષણ મંત્રાલય યુક્રેનમાં રશિયાના યુદ્ધ, ઈઝરાયેલ પરના હુમલા અને આતંકવાદીઓને યુએવી અને લશ્કરી હાર્ડવેરના પ્રસારને સમર્થન આપીને પ્રદેશ અને વિશ્વને અસ્થિર કરવાનો પ્રયાસ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, આવતીકાલે સંસદમાં NEET પર ચર્ચાની કરી માંગ
July 02, 2024 05:40 PMઉતરપ્રદેશના હાથરસ નજીક સિકંદરામાં ભોલેબબના સત્સંગ દરમિયાન ભાગદોડમાં 27 લોકોના મોત
July 02, 2024 05:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech