મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાતોના મતે, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ શેરની ખરીદી અને વેચાણમાં સાવચેત રહે છે. આ સાથે બજારની ગતિ વિશે પણ અનિશ્ચિતતા યથાવત્ છે. આ સાથે સેન્સેક્સ અને નિફ્ટી તેમની ટોચથી 12 ટકા નીચે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં મોટાભાગે એવા લોકો રોકાણ કરે છે જેઓ શેર માર્કેટમાં પૈસા રોકીને જોખમ લેવા માંગતા નથી. જો એમ કહેવામાં આવે કે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને વળતરની દૃષ્ટિએ સુરક્ષિત છે, તો તે ખોટું નહીં હોય, પરંતુ છેલ્લા 6 દિવસના શેર માર્કેટના વલણને જોતા તમને ખબર પડશે કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ છેલ્લા 6 દિવસમાં 16000 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડ માટે 16000 કરોડ રૂપિયાના શેર કોઈ મોટી સંખ્યા નથી, પરંતુ શેર માર્કેટ વધવા પર જે રીતે આ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ શેર વેચ્યા છે, તેને નિષ્ણાતો નફાબંધીનો સંકેત ગણાવી રહ્યા છે. આ પાછળ નિષ્ણાતોનો તર્ક છે કે માર્ચ મહિનામાં માર્કેટે 6 ટકાનો શાનદાર સુધારો કર્યો છે, પરંતુ માર્કેટ હજુ પણ સર્વકાલીન ઉચ્ચ સ્તરથી 12 ટકા નીચે છે.
મહિનાની શરૂઆતમાં ખરીદી અને અંતમાં વેચાણ
માર્ચ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 6 ટકાનો શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે મહિનાની શરૂઆતમાં 1 થી 19 માર્ચની વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ 22900 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા અને જ્યારે શેરબજાર સામાન્ય રીતે સુધરી ગયું હતું, ત્યારે આ કંપનીઓએ માર્ચના અંતમાં નફાબંધીના કારણે 16000 કરોડ રૂપિયાના શેર વેચી દીધા હતા.
સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલી તેજી રહી
માર્ચ મહિનામાં સેન્સેક્સમાં 5.8 ટકા અને નિફ્ટીમાં 6.3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઝંડેક્સમાં 7.6 ટકા અને 8.3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ એવા સમયે વેચાણ કર્યું છે જ્યારે તેમની પાસે પહેલાથી જ ઘણી રોકડ ઉપલબ્ધ છે. જાન્યુઆરીમાં સક્રિય ભંડોળમાં મ્યુચ્યુઅલ ફંડની રોકડ હોલ્ડિંગ 1.42 લાખ કરોડ રૂપિયા હતી, જે ફેબ્રુઆરી 2025માં વધીને 1.46 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMજામનગરના લીમડાલાઈનમાં જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસની પત્રકાર પરિષદ
April 25, 2025 06:59 PMજામનગરમાં ખેલમહાકુંભની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ
April 25, 2025 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech