ઈઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની ઈમરજન્સી બેઠકમાં ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે રજૂ કરાયેલ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ભારત સહિત 153 દેશોએ ગાઝામાં યુદ્ધવિરામના પક્ષમાં મતદાન કર્યું હતું જ્યારે 10 સભ્યોએ વિરોધ કર્યો હતો જ્યારે 23 સભ્યો ગેરહાજર રહ્યા હતા. યુદ્ધવિરામ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કરનારા દેશોમાં યુએસ, ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, ગ્વાટેમાલા, ઇઝરાયલ, લાઇબેરિયા, માઇક્રોનેશિયા, નાઉરુ, પાપુઆ ન્યૂ ગિની અને પરાગુઆનો સમાવેશ થાય છે.
ભારતે યુએન જનરલ એસેમ્બલીમાં ડ્રાફ્ટ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું જેમાં ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ તેમજતમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગ કરવામાં આવી હતી. યુએન જનરલ એસેમ્બલીએ મંગળવારે ઇમરજન્સી વિશેષ સત્રમાં ઇજિપ્ત દ્વારા રજૂ કરાયેલ ડ્રાફ્ટ ઠરાવનો સ્વીકાર કર્યો હતો. યુએનના 153 સભ્ય દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 23 દેશોએ ગેરહાજર અને 10 દેશોએ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું.
અગાઉ ઇજિપ્તના રાજદૂત અબ્દેલ ખાલેક મહમૂદે યુએન જનરલ એસેમ્બલીમાં ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરતો ઠરાવ રજૂ કર્યો હતો. તેના ઠરાવમાં ઇજિપ્તે ગયા અઠવાડિયે સુરક્ષા પરિષદમાં યુદ્ધવિરામ માટેના આહવાન પર યુએસ વીટોની નિંદા કરી હતી. મહમૂદે કહ્યું કે આ પ્રસ્તાવ યુદ્ધવિરામ માટે ખૂબ જ સ્પષ્ટ છે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે વિટોનો દુરુપયોગ માનવતાવાદી ધોરણે યુદ્ધવિરામના ઠરાવ સામે કરવામાં આવ્યો હતો તેમ છતાં તેને 100 થી વધુ સભ્ય દેશોનું સમર્થન હતું.
ભારતનો અભિગમ માનવતાવાદી
ભારતે તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામના પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. જોકે, ઠરાવમાં હમાસનું નામ નહોતું. ભારત ઑક્ટોબરમાં જનરલ એસેમ્બલીમાં એક ઠરાવ પર મતદાનમાં ગેરહાજર હતું જેમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ અને ગાઝા પટ્ટીમાં માનવતાવાદી પ્રવેશની અવગણના કરવામાં આવી હતી. જોર્ડન દ્વારા તૈયાર કરાયેલા ઠરાવમાં સમગ્ર ગાઝા પટ્ટીમાં નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની તાત્કાલિક, સતત, પયર્પ્તિ અને અવિરત જોગવાઈ માટે પણ કહેવામાં આવ્યું હતું.
ચિરા કંબોજે ભારતનો પક્ષ રજૂ કર્યો હતો
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે ભારતે યુએન જનરલ એસેમ્બલી દ્વારા અપ્નાવવામાં આવેલા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું કે, સામાન્ય સભામાં જે સ્થિતિની ચચર્િ થઈ રહી છે તેના અનેક આયામો છે. 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર આતંકવાદી હુમલો થયો હતો અને ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા જે ચિંતાનો વિષય છે. તેમણે વધુમાં કહ્યું કે ગાઝામાં એક વિશાળ માનવીય સંકટ ઉભું થયું છે. મોટાભાગની મહિલાઓ અને બાળકો સહિત મોટા પ્રમાણમાં નાગરિક જાનહાનિ થઈ છે. મુદ્દો તમામ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાનો છે. લાંબા સમયથી ચાલી રહેલા પેલેસ્ટાઇન મુદ્દાનો શાંતિપૂર્ણ અને કાયમી બે-રાજ્ય ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારત હાલમાં અનેક પડકારોનો સામનો કરવા માટેના એક સામાન્ય પ્રયાસમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની એકતાનું સ્વાગત કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવરસાદના પાણીમાં કાર તણાઈ જાય તો કયો વીમો મળે છે? જાણો નિયમો
July 01, 2024 05:28 PMએડવાન્સ મિલકતવેરા વળતર સ્કીમ હેઠળ મનપાને ત્રણ માસમાં ૨૪૪ કરોડની આવક
July 01, 2024 05:27 PMશ્રમિક યુવાનની માથું, મોઢું છુંદીને યેલી હત્યામાં આરોપી હાવેતમાં
July 01, 2024 05:22 PMરેલનગરમાં મહિલાના મકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
July 01, 2024 05:20 PMતબીબની જાણ બહાર રૂ.૬.૪૦ લાખનો ચેક વટાવનાર પૂર્વ કર્મી સહિત બેની શોધ
July 01, 2024 05:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech