જમ્મુ–કાશ્મીરના બારામુલાના ઉરી સેકટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાએ આ માહિતી આપી હતી. બંને આતંકવાદીઓ એક મોટા જૂથનો ભાગ હતા, જે સતત વરસાદ અને નબળી ધ્શ્યતાનો લાભ લઈને એલઓસી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.સંરક્ષણ પ્રવકતાએ કહ્યું કે ગુચર એજન્સીઓ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે ઈનપુટ આપ્યા હતા કે સશક્ર આતંકવાદીઓનું એક જૂથ સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પછી, સુરક્ષા દળોને હાઇ–એલર્ટ પર રાખવામાં આવ્યા હતા અને ઘૂસણખોરી વિરોધી ગ્રીડને મજબૂત કરવામાં આવી હતી.બપોરે લગભગ ૩ વાગ્યે સેનાની સતર્ક ટુકડીએ આતંકવાદીઓના જૂથને રોકી દીધું હતું, ત્યારબાદ આતંકવાદીઓએ સેના પર ફાયરિંગ શ કરી દીધું હતું. મોડી રાત સુધી બંને તરફથી ગોળીબાર ચાલુ રહ્યો હતો, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. બાકીના આતંકવાદીઓ તેમની સીમા પર પાછા ફર્યા. તેઓ માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ પણ લઈ ગયા હતા.ઘટનાસ્થળેથી હથિયારો અને દાગોળો મળી આવ્યો છે.
બે આતંકીઓને ઠાર કર્યા બાદ સેનાએ રવિવાર સાંજ સુધી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તલાશી દરમિયાન સ્થળ પરથી યુદ્ધ સ્તરના હથિયારો મળી આવ્યા હતા. જેમાં બે એકે સિરીઝની રાઈફલ, ૬ પિસ્તોલ, ચાર ચાઈનીઝ ગ્રેનેડ, ધાબળા અને પાકિસ્તાની અને ભારતીય ચલણ, પાકિસ્તાની દવાઓ અને ખાધ ચીજવસ્તુઓવાળી બે લોહીથી ડાઘવાળી બેગનો સમાવેશ થાય છે. ખરાબ હવામાનને કારણે સેનાએ રવિવારે મોડી રાત્રે સર્ચ ઓપરેશન બધં કરી દીધું હતું, જે હવામાન સાફ થતાં જ ફરી શ કરવામાં આવશે.
નોંધનીય છે કે ૧૬ સપ્ટેમ્બરના રોજ, સેનાએ કાશ્મીરના બારામુલ્લામાં નિયંત્રણ રેખા નજીક ઉરી, હાથલંગા વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પીર પંજાલ બ્રિગેડના કમાન્ડર પીએમએસ ધિલ્લોને જણાવ્યું – ઓપરેશન સવારે ૬ વાગ્યે શ થયું, ૮ કલાક પછી બપોરે ૨ વાગ્યે સમા થયું, પરંતુ શોધ ચાલુ રહી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech