ભાવનગરમાં શિશુવિહાર નજીક બે રિક્ષાચાલકો બાખડ્યા, છરી મારી

  • September 26, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિશુવિહાર સર્કલ પાસે એક રીક્ષા ચાલકે બીજા રીક્ષા ચાલકને છરી મારતા આ બનાવના કારણે ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. હુમલાખોર શખ્સ હુમલો કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઘોઘારોડ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ઇમરાન હુસેનભાઈ ભાડુલાએ હુસેનભાઈ ઉર્ફે દુબઈમીયા રીક્ષાવાળા સામે નોંધાવેલી   ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી શિશુવિહાર સર્કલ પાસે ઉભા હતા અને તેની બાજુમા આરોપી તેની રીક્ષા લઈને ઉભો હતો. ત્યારે ત્રણ પેસેન્જર આરોપીની રીક્ષામાં બેઠા હતા અને તે સમયે ફરિયાદી તેની રીક્ષા પાસે ઉભો હોય આરોપી હુસેનભાઈએ ફરિયાદીને તુ કેમ મારા પેસેન્જર બોલાવે છે? મારી સામે કાતર કેમ મારે છે ? તેમ જણાવી ઝઘડો કર્યો હતો.
ઝઘડા દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ છરી કાઢી ફરિયાદીને કોણીના ભાગે તેમજ ગાલના ભાગે મારી યાના ઇંજા પહોંચાડી હતી અને ત્યાર બાદ આરોપી મારી નાંખવાની ધમકી આપી તેની રીક્ષા લઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application