જામનગરમાંમાં ગંદા પાણીના નિકાલના મામલે બે પાડોશીઓ બાખડ્યા

  • June 19, 2023 02:10 PM 

સામસામી પોલીસ નોંધાવાઇ ફરિયાદ

જામનગરમાં શંકર ટેકરી નજીક સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં ગટરના ગંદા પાણીના નિકાલના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને સામસામાં હુમલા કરાયા હતા, જે મામલે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગરમાં સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતા ચંદ્રવદનભાઈ નાનજીભાઈ ગોહિલ (ઉ.વ.૪૫) એ ગટરના ગંદા પાણીના નિકાલ ના  પ્રશ્ને પોતાના પાડોશમાં જ રહેતા પ્રાગજીભાઈ ચૌહાણ, ભાવનાબેન તેમજ ગીતાબેન સહિત ત્રણ પાડોશીઓ સામે પોતાના પર ધોકા તેમજ છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગેની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે પ્રાગજીભાઈ પ્રેમજીભાઈ ચૌહાણએ પોતાના ઉપર હુમલો કરવા અંગે પાડોશી ચંદ્રવદનભાઈ નાનજીભાઈ ગોહિલ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે સિટી સી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application