ગોંડલમાં બે માળનું મકાન ધસી પડતાં બેનાં મોત થયાં

  • February 20, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલનાં સહજાનંદનગર નગરમાં ગરબીચોકથી આગળ કાટખુણા પર આવેલુ બે માળનું મકાન સવારે સાત કલાકે ધડાકાભેર ધરાશઇ થતા મકાનમાં સુતેલા સુનિલભાઇ વરધાની તેના માતા નીતાબેન તથા પત્નિ ઉષાબેન મલબા નીચે દબાઇ જવા પામ્યા હતા. જેમાંથી પતિ–પત્નીના મોત નિપયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જાણવા મળ્યું છે. બનાવની જાણ યસગૃપનાં દશરથસિહ જાડેજાએ ફાયર બ્રિગ્રેડને કરી હતી. બનાવનાં પગલે નગરપાલિકાનાં સદસ્ય ગૌતમભાઇ સિંધવ, જીતુભાઇ આચાર્ય, ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા જીતુભાઇ પંડા સહિત દોડી જઇ જેસીબી, ક્રેઇન એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી મકાનનાં મલબા માંથી બહાર કાઢવા રેસ્કયુ ઓપરેશન હાથ ધરયુ હતુ.  સુનિલભાઇ રેલ્વેસ્ટેશન ચોકમાં પાનની કેબીન ચલાવે છે.
જાણવા મળ્યા મુજબ મકાનનું રિનોવેશન ચાલી રહ્યુ હતુ.તે દરમિયાન મકાન જમીનદોસ્ત બન્યુ હતુ.બનાવની જાણ થતા ધારાસભ્ય ગીતાબા જાડેજાનાં પર્સનલ આસિસ્ટન્ટ નિલેશ જેઠવા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ લખાય છે ત્યારે જેસીબી સહિત સાધનો દ્રારા કાટમાળ ખસેડી દબાઇ ગયેલા પરીવારને બહાર કાઢવા ઓપરેશન હાથ ધરાયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application