ભીમપરા નજીક કાર અકસ્માતમાં યુવાન સહિત બેનાં મોત

  • June 05, 2023 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા દફર્શન કરી પરત ફરતા અમદાવાદના પરિવારને કાળ ભેટયો : ચારને ઇજા

દ્વારકા પંથકના કુરંગા રોડ ભીમપરા નજીક કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવાન અને એક બાળકનું મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, જયારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને સારવાર અથે જામનગર હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગત મુજબ અમદાવાદનો બારોટ પરિવાર કારમાં દ્વારકાધિશના દર્શનાર્થે આવ્યા હતા, દરમ્યાન દર્શન કરી પરત ફરતીવેળાએ ભીમપરા નજીક કારનું ટાયર ફાટતા ગોથુ ખાઇ ગઇ હતી, આ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના અનિલભાઇ બારોટ અને પ્રિન્સ બારોટના ગંભીર ઇજા સબ સ્થળ પર મૃત્યુ નિપજયા હતા, જયારે કારમાં બેઠેલા મહિલા સહિતના અન્ય ચારથી પાંચ વ્યકિતને શરીરે ઇજા પહોચતા તાકીદે સારવાર અર્થે જામનગર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બારોટ પરિવારને અકસ્માત નડયાનું બહાર આવતા આ રોડ પર લોકો મદદ માટે પહોચ્યા હતા તેમજ પોલીસ અને ૧૦૮ને જાણ કરવામાં આવી હતી, ટાયર ફાટવાથી અકસ્માત થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, ઇજાગ્રસ્તો પૈકી એકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application