શાકમાર્કેટ પાસે પરણીતાનો ગળાફાંસો : લાખાબાવળના યુવાને ઝેરી દવા પી મોત મીઠુ કર્યુ
જામનગર શહેર અને લાખાબાવળમાં આત્મહત્યાના બે કિસ્સા નોંધાયા છે. જામનગરની એક પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે. જ્યારે લાખાબાવળમાં એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આપઘાત કર્યો છે.
જામનગરમાં શાક માર્કેટ નજીક ભોઈવાડા વિસ્તારમાં રહેતી જયશ્રીબેન જીતેન્દ્રભાઈ ગોંડલીયા નામની ૨૪ વર્ષની પરણીતાએ પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ જીતેન્દ્ર મહેશભાઈ ગોંડલીયાએ પોલીસે જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પી.એસ.આઇ.ટી.ડી. બુડાસણા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાનો બીજો કિસ્સો જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં બન્યો હતો ત્યાં ઇન્દિરા આવાસમાં રહેતા અશોક મેઘજીભાઈ મકવાણા નામના ૩૩ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મેઘજીભાઇ દ્વારા પોલીસને જાણ કરાતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech