જામનગર અને લાખાબાવળમાં આત્મહત્યાના બે કિસ્સા

  • May 30, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાકમાર્કેટ પાસે પરણીતાનો ગળાફાંસો : લાખાબાવળના યુવાને ઝેરી દવા પી મોત મીઠુ કર્યુ

જામનગર શહેર અને લાખાબાવળમાં આત્મહત્યાના બે કિસ્સા નોંધાયા છે. જામનગરની એક પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે. જ્યારે લાખાબાવળમાં એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આપઘાત કર્યો છે.
જામનગરમાં શાક માર્કેટ નજીક ભોઈવાડા વિસ્તારમાં રહેતી જયશ્રીબેન જીતેન્દ્રભાઈ ગોંડલીયા નામની ૨૪ વર્ષની પરણીતાએ પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ જીતેન્દ્ર મહેશભાઈ ગોંડલીયાએ પોલીસે જાણ કરતાં સિટી એ. ડિવિઝનના પી.એસ.આઇ.ટી.ડી. બુડાસણા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાનો બીજો કિસ્સો જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં બન્યો હતો ત્યાં ઇન્દિરા આવાસમાં રહેતા અશોક મેઘજીભાઈ મકવાણા નામના ૩૩ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મેઘજીભાઇ દ્વારા પોલીસને જાણ કરાતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application