તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળને લઈને બે દિગ્ગજ કલાકારો વચ્ચે શબ્દયુદ્ધ ફાટી નીકળ્યું છે. તિરુપતિ મંદિર પ્રસાદ મામલે 11 દિવસ પ્રાયશ્વિત કરી રહેલા ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ પર દિગ્ગજ કલાકાર પ્રકાશ રાજે ટીપ્પણી કરી છે.
તમે આ મુદ્દાને સેંસેશનલ કેમ બનાવી રહ્યા છો: પ્રકાશ રાજ
અભિનેતા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, પ્રિય પવન કલ્યાણ, આ તે રાજ્યમાં બન્યું છે જ્યાં તમે મુખ્યમંત્રી છો. મહેરબાની કરીને તપાસ કરો, આરોપીઓને શોધો અને કડક કાર્યવાહી કરો. તમે આ મુદ્દાને સેંસેશનલ કેમ બનાવી રહ્યા છો. અને તેને રાષ્ટ્રીય સ્તર પર મોટો કેમ બનાવવા માંગો છો ? દેશમાં પહેલા જ ઘણો સાંપ્રદાયિક તણાવ છે (કેન્દ્રમાં બેઠેલા તમારા મિત્રોના કારણે).
પવન કલ્યાણે પ્રકાશ રાજને આપ્યો જવાબ
પવન કલ્યાણે પ્રકાશ રાજના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમને કહ્યું કે, "મારે આ બાબતો પર કેમ ન બોલવું જોઈએ ? પ્રકાશ રાજ, હું તમારો આદર કરું છું, અને જ્યારે ધર્મનિરપેક્ષતાની વાત આવે ત્યારે તે પરસ્પર હોવું જોઈએ. મને સમજાતું નથી કે તમે શા માટે મારી ટીકા કરો છો? શું હું તેના વિશે બોલી શકતો નથી. સનાતન ધર્મ પરના હુમલાથી આ પાઠ શીખવો જોઈએ.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, "મારા માટે સનાતન ધર્મ સૌથી મહત્વપૂર્ણ છે અને દરેક હિંદુએ આ મામલે જવાબદારી લેવી જોઈએ. તેમના ભાષણને સમાપ્ત કરતા પવને કહ્યું, 'જો અન્ય કોઈ ધર્મમાં આવું થયું હોત તો એક વિશાળ આંદોલન થયું હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરૂ. 15 લાખ 18 ટકા વ્યાજ સાથે મિત્રને સુપ્રત કરવા એસ્ટેટ બ્રોકરને કોર્ટનો હુકમ
May 08, 2025 03:00 PMહિન્દુસ્તાન યુનિલીવરના ૩૦૦ શ્રમયોગી પ્રશ્ને યુનિયનની માંગણીઓનો પંચ દ્વારા અસ્વીકાર
May 08, 2025 02:57 PMઈવીએમ પર સુપ્રીમે આપ્યો ફેંસલો, મોક વોટિંગ માટે સિમ્બોલ લોડિંગ યુનિટ બદલી શકાશે નહિ
May 08, 2025 02:50 PMરેલ્વે મંત્રાલયની એડવાઈઝરી: મીલીટરી ટ્રેનો વિશે માહિતી આપવા પર પ્રતિબંધ
May 08, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech