શહેરની ભાગોળે રાજકોટ–અમદાવાદ હાઇવે પર મેંગો માર્કેટ પાસે આવેલા કારખાનાને નિશાન બનાવી અહીંથી ૮૫ કિલો પિત્તળના દાગીનાની ચોરીનો બનાવ બન્યો હતો.ચોરીના આ બનાવને લઈ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી તસ્કર ત્રિપુટીને ઝડપી લીધી હતી.નાકરાવાડીમાં રહેતી આ ત્રિપુટી પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ પોલીસે બજે કર્યેા હતો. આરોપીઓ પૈકી એક આરોપી અગાઉ આ કારખાનામાં કામ કરતો હોય જેથી તેણે પોતાના અન્ય બે મિત્રોને સાથે રાખી ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો.
ચોરીના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, મેંગો માર્કેટ પાસે અર્થવ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં રાત્રિના દિવાલ ટપી અંદર પ્રવેશી દીવાલમાં બાકા પાડી કારખાનામાંથી પિત્તળના પિયા ૧.૦૨ લાખની કિંમતના ૮૫ કિલો પિત્તળના દાગીના ચોરી કરી ગયા હતા. જે અંગે કારખાનેદાર વિનોદ પરસોત્તમભાઈ લીંબાસીયા(રહે. શ્યામ પાર્ક) દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચોરીના આ બનાવને લઈ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ કે.ડી.મા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ઝાલા અને જગદીશભાઈ વાંકને મળેલી બાતમીના આધારે આ ચોરી પ્રકરણમાં નાકરાવાડી ગામમાં રહેતા રાહત્પલ ભાવસિંગભાઈ દંતેસરીયા(ઉ.વ ૨૪),ભરત મનુભાઈ બાણોધરા(ઉ.વ ૨૬) અને અજય ઉર્ફે પ્રકાશ જેન્તીભાઇ સારોલા(ઉ.વ ૨૨) ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી તેમને ચોરી કરેલ ૮૫ કિલો પતિળના દાગીના કર્યા હતાં.
પોલીસે જણાવ્યું હતું કે, આ ત્રણેય આરોપીઓ મિત્રો હોય જેમાં આરોપી રાહત્પલ પાંચેક વર્ષ પૂર્વે આ કારખાનામાં કામ કરતો હોવાથી અહીં પિત્તળના દાગીના રાખવામાં આવતા હોવાનું તે જાણતો હતો જેથી તેણે પોતાના અન્ય બે મિત્રોને સાથે લઈ ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો.અહીંથી ચોરી કર્યા બાદ માલ વેચવાની પેરવીમાં હતા દરમિયાન પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતાં. આ કામગીરીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ બાળા, જયદીપસિંહ બોરાણા, ભાનુશંકરભાઈ ધાંધલા, પંકજભાઈ માળી, રાજદીપભાઈ પટગીર અને પોપટભાઈ ગમારા સાથે રહ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech