શહેર નજીકના અકવાડામાં મંદિરને નિશાન બનાવતા તસ્કરો પોણા બે લાખ ઉઠાવી ગયા

  • March 16, 2024 08:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લામાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા બાદ હવે શહેરી વિસ્તારોના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. શહેર નજીકના અકવાડા ગામે આવેલા માતૃધામ ચેરીટેબલ ટ્રસ્ટના માતૃ મંદિર રાંદલમાતાના મંદિરમાં ગત રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરો ત્રાટકી મંદિરની ત્રણ ત્રણ દાનપેટીના તાળા તોડી તેમાં રહેલી રોકડ રૂા. ૧.૭૫ લાખની ચોરી નાસી છૂટ્યા હતા. જે બાબતે મંદિરના ટ્રસ્ટી દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેર નજીકના અકવાડા ગામે આવેલા માતૃધામ ચેરીટેબલ ટ્રસ્ટના માતૃ મંદિર રાંદલમાતાના મંદિરના ટ્રસ્ટી મુકેશભાઈ અમુલભાઈ સોની (રહે. નાનભા વાડી, કાળાનાળા, ભાવનગર)એ ઘોઘારોડ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના સાડા આઠ વાગ્યાથી વહેલી સવારના છ કલાકના અરસા દરમિયાન અજાણ્યા શખ્સોએ માતૃધામ ચેરીટેબલ ટ્રસ્ટના માતૃ મંદિર રાંદલમાતાના મંદિરમાં ગેરકાયદે પ્રવેશ કરી મંદિરમાં રહેલી ત્રણ ત્રણ દાનપેટી કોઈ સાધન વડે તોડી નાખી તેમાં રહેલા રોકડ રૂપિયા ૧ લાખથી રૂા. ૧.૭૫ લાખ જેવી રકમની ચોરી કરી નાસી છુટયા હતા. વહેલી સવારે મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ થતા મંદિરના ટ્રસ્ટી ગણ અને ભક્તજનો દોડી આવ્યા હતા. અને ભારે રોષની લાગણી છવાઈ જવા પામી હતી. જ્યારે ઘટનાના પગલે ઘોઘારોડ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને છાનબીન હાથ ધરી હતી. જ્યારે ઉક્ત ફરીયાદ અનુસંધાને અજાણ્યા શખ્સ સામે આઈપીસી. ૪૫૪, ૪૫૭, ૩૮૦, મુજબ ગુનો દાખલ કરી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application