પોરબંદરમાં વેપારીઓએ સોમવતી અમાસ નિમિત્તે બોલાવી શિવધુન

  • September 04, 2024 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની મુખ્ય બજારમાં વેપારીઓ દ્વારા શિવધુનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પોરબંદરની મુખ્ય બજારમાં શ્રાવણી અમાસ નિમિત્તે વેપારીઓ દ્વારા ‘હર હર મહાદેવ’ની ધુન બલાવી અને શિવજીને રિઝવવા માટે મહાદેવના મંત્રજાપ કરવામાં આવ્યા હતા જેનો બહોળી સંખ્યામાં ભકતોએ લાભ લીધેલ હતો.હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોય બધા મંદિરોમાં ભકતોની ભીડ રહેતી હોય વેપારીઓ પોતાના કામધંધા સાથે ભગવાનનું નામ લઇ શકે એ માટે કુબેર લાઇફ સ્ટાઇલ સુપર માર્કેટના વેપારીઓ દ્વારા માર્કેટમાં શિવધુનનું આયોજન કરવામાં આવ્યુ હતી અને સાઉન્ડ સીસ્ટમથી આસપાસની તમામ દુકાનદાર કામ કરતા કરતા પ્રભુુનુ નામ લે એ માટે વિવિધ આયોજન કરવામાં આવતુ  હોય છે. મહિલા વેપારી ક્રિષ્નાબેન ઠાકર દ્વારા શ્રાવણી અમાસના  રોજ શિવને સમજવાનો કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતું. વેપારી શ્રીચન્દ્રભાઇ ભાવનાણી, કમલેશભાઇ દાસાણી દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવેલ. આનંદભાઇ જોશી દ્વારા ‘હર હર મહાદેવ’ની ધુન બોલાવવામાં આવે. જેન્તીભાઇ હોદાર દ્વારા શંખનાદ કરવામાં આવેલ કુબેર લાઇફસ્ટાઇલના  તમામ વેપારીગણ શિવમય બની ગયેલ. શ્રી ચન્દ્રભાઇ ભાવનાણી, વિનુભાઇ વડેરા, જેન્તીભાઇ હોદાર, નીતિનભાઇ ભાવનાણી, આનંદભાઇ જોશી, હરેન એરડા, કમલેશભાઇ દાસાણી, વાધુભાઇ ભાવનાણી દ્વારા શિવધુનની રમઝટ બોલાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application