આજે કેબિનેટની બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ સહિતના મુદ્દે ચર્ચા થશે

  • June 19, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચચર્િ કરવામાં આવશે. ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચચર્િ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારના આગામી આયોજનો, નીતિગત વિષયોની પણ સમીક્ષા થશે.
આ સિવાય આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ અંગે, શાળા પ્રવેશોત્સવ યોજવાને લઈ, શાળામાં ફાયર સેફ્ટીના સાધનો, સ્કૂલવાનના વાનચાલકોની હડતાલ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. જણાવી દઈએ કે 20 જૂને  સરકારને રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સોંપશે. ત્યારે આજે રાજકોટ અગ્નિકાંડને લઈને ના તૈયાર થતાં રિપોર્ટને લઈને પણ ચર્ચા થશે.
આ સિવાય 27 થી 29 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજવાને લઈને પણ ચચર્િ કરવામાં આવશે. સાથે જ હવે ચોમાસું શરૂ થઈ ગયું છે, પણ રાજ્યમાં વરસાદ ખેંચાતા વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા થશે. આ સાથે જ સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application