મરી જવા માટે મજબુર કર્યાની મૃતકની પત્ની સામે ફરીયાદ
કાલાવડના ભગત ખીજડીયા ગામમાં પત્નીના અવાર નવારના ઝઘડા અને ત્રાસથી કંટાળીને પતિએ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ છે, આ બનાવ સામે આવતા મૃતકના પત્ની સામે આપઘાતની દુષ્પ્રેરણા આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં રહેતા, ખેતીકામ કરતા રતીલાલ ગોવિંદભાઇ ફળદુ (ઉ.વ.૬૦) નામના વૃઘ્ધે ગઇકાલે ગ્રામ્ય પોલીસમાં ભગત ખીજડીયા ખાતે રહેતી રીટાબેન પરસોતમ ફળદુની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૦૬ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના ભાઇ પરસોતમભાઇની પત્ની રીટાબેન પરસોતમભાઇની સાથે અવાર નવાર નાની નાની બાબતમાં ઝઘડો કરતી અને પરિવારથી અલગ રહેવાની જીદ કરતી હતી જેથી પરસોતભાઇ આશરે એકાદ વર્ષ પહેલા રાજકોટ રહેવા ચાલ્યા ગયા હતા, અને ત્યાં પણ તેણીએ પતિ સાથે બોલાચાલી કરતા પરસોતભાઇ તેનાથી કંટાળીને પરત પોતાના ગામ આવતા રહયા હતા.
તેમના ઘરે આવીને ફરી રીટાબેન પતિ સાથે અવાર નવાર ઝઘડો કરતી હતી અને જમવાનું પણ આપતા ન હોય દરમ્યાન તેણીને છુટા છેડા આપવાનું કહેતા રીટાબેને તેમની પાસે વધારે રુપીયાની માંગણી કરતા હતા, પતિ પાસે વધારે રુપીયા ન હોય જેથી તેઓ પત્ની રીટાબેનના ત્રાસથી કંટાળી જઇ સ્યુસાઇડનોટ લખીને પોતાની મેળે ભગત ખીજડીયા ગામના મોહનભાઇ પટેલની વાડીમાં આવેલા કુવામાં પડી જઇ ડુબી જતા પોતાનું જીવન ટુંકાવી લીધુ હતું.
ઉપરોકત ફરીયાદના આધારે કાલાવડના પીએસઆઇ એચ.વી. પટેલ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે, પત્નીના ત્રાસના કારણે આપઘાતનો બનાવ સામે આવતા કાલાવડ વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.
**
ગોરધનપરમાં યુવતિએ ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી: માતા-પિતા અલગ રહેતા હોય જેનું લાગી આવતા પગલુ ભર્યુ
જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં એક યુવતિએ ગઇકાલે ગળાફાંસો ખાઇને જીવતર ટુંકાવી લીધુ હતું, માતા-પિતા અલગ રહેતા હોય જે વાતનું મનોમન લાગી આવતા આ પગલુ ભરી લીધાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.
ગોરધનપર ગામમાં રહેતી શિલ્પાબેન સુખાભાઇ પરમાર (ઉ.વ.૨૨) નામની યુવતિ ગઇકાલે ઘરે એકલી હતી ત્યારે દરવાજો અંદરથી બંધ કરી રુમમાં લાકડાની આડસમાં રસ્સી વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ થયુ હતું.
આ અંગે ગોરધનપર ગામમાં રહેતા ડ્રાઇવીંગ કરતા સુખા રઘુભાઇ પરમારએ સિકકા પોલીસમાં જાણ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે તેઓ ગઇકાલે કામધંધે ગયા હતા અને તેની દિકરી શિલ્પા ઘરે એકલી હતી, મરણજનારના માતા પિતા એકબીજાથી અલગ રહેતા હોય જે વાત તેણીને મનોમન લાગી આવતા આ પગલુ ભરી લીધુ હતું. આ વિગતોના આધારે સિકકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMદુષ્કર્મની ફરિયાદ કરવા આવેલી આર્મી ઓફિસરની મંગેતરને મારપિટ કરી પોલીસે આપી રેપની ધમકી
September 20, 2024 12:44 PMત્રિલોકપુરીમાં મોટી દુર્ઘટના ટળી, રસ્તાની વચ્ચોવચ કાર સમાઈ જાય એવડો મોટો ખાડો પડ્યો
September 20, 2024 12:44 PMબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech