ભાવનગર શહેરના ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ વેપારીઓએ ફેસબુના માધ્યમથી બેટરીનો માલ વેચાઉ હોવાનું જાણ્યા બાદ ત્રણેય રાજસ્થાન ગયા હતા. યાં આગળ ત્રણેયને અજાણ્યા શખ્સોએ બંદીવાન બનાવી ત્રણેયના પરિવારજનો પાસે પૈસાની માંગણી કરતા ૭૦હજાર મોકલ્યા હતા. પરંતુ વધુ પૈસાની માંગ થતા સ્થાનિક મેટલ એસોસીએશન દ્રારા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નો સંપર્ક કરતા તેમણે પોલીસને સમગ્ર વાત જણાવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી. અને રાજસ્થાન પોલીસ સાથે વાટાઘાટ કરી ત્રણેય વેપારીઓનો છુટકારો કરાવ્યો હતો. અને ૧શખ્સને ઝડપી લીધો હતો આ મામલે મોડી રાત્રે રાજસ્થાનના ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ હતી.
પ્રા વિગતો મુજબ ભાવનગરમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા સલીમભાઈ, ફિરોજભાઈ અને જબ્બારભાઈને ફેસબુકના માધ્યમથી રાજસ્થાનમાં બેટરીના ભંગારનો મોટો જથ્થો વેચવાનો હોવાની જાહેરખબર જોયા બાદ ત્રણેય વેપારઓ માલ ખરીદવા માટે ગઈકાલે રાજસ્થાન જવા રવાના થયા હતા. ત્રણેય વેપારીઓ રાજસ્થાનના અલવર પહોંચતાજ તેમને કોઈ અજાણ્યા શખ્સોએ બંદીવાન બનાવી દેવાયા હતા. બાદમાં ત્રણેયના પરિવારજનો પાસે પિયા ત્રણેક લાખની માંગણી કરતા વેપારીઓના પરિવાર દ્રારા ૭૦હજાર મોકલી આપ્યા હતા. પરંતુ વધુ પિયાની માંગ થતા વેપારીઓના પરિવારને શંકા જતા સ્થાનિક મેટલ એસોસીએશનને જાણ કરી હતી. જેમાં એસો. ના હોદેદારોએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલનો સંપર્ક કરી સમગ્ર બીના જણાવતા શકિતસિંહે ભાવનગર પોલીસને વાત જણાવ્યા બાદ સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી. દરમ્યાન ભાવનગર એલસીબીએ રાજસ્થાન પોલીસને ઘટના અંગે વાકેફ કરતાજ રાજસ્થાન પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ગણતરીના સમયમાંજ બંદીવાન બનેલા ભાવનગરના સલીમભાઈ કુરેશી, ફિરોજભાઈ કુરેશી અને જબ્બારભાઈ કાલીવાલનો છુટકારો કરાવી અજાણ્યા શખ્સને ઝડપી લીધા હતો. યારે આ ઘટના અંગે વેપારીના પરિવારજનો દ્રારા રાજસ્થાનના ૬ અજાણ્યા શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech