ઓખાની પરિણીતાને ત્રાસ આપી મારી નાખવાની ધમકી

  • June 29, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ચાર સાસરિયાઓ સામે ફરિયાદ

ઓખામાં રેલવે ફાટક સામેના વિસ્તારમાં રહેતી અને અનવરભાઈ અબ્દુલભાઈ જેઠવાની ૨૭ વર્ષની પરિણીત પુત્રી ઈરમબેન એજાજ સૈયદને રાજકોટના દેવપરા વિસ્તારમાં રહેતા તેણીના પતિ એજાજ રહીમ સૈયદ, સસરા રહીમ ગનીભાઈ સૈયદ, સાસુ હસીનાબેન તેમજ નણંદ કરિશ્માબેન દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન નાની-નાની વાતોમાં મેણા-ટોણા મારી, શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપી, બિભત્સ ગાળો કાઢી, માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે સ્ત્રી અત્યાચાર સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
**
મોખાણા ગામમાં લીઝધારક અને અન્યને મારી નાંખવાની ધમકી
જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં રહેતા ખેતી અને વેપાર કરતા રાજેશગીરી ચંદુગીરી ગોસાઇ (ઉ.વ.૩૮) ની માલીકીની બ્લેકટ્રેપ લીઝ મોખાણા ગામે ચાલતી હોય દરમ્યાનમાં ગત તા. ૯ના સમય દરમ્યાન આરોપી ગોકુલએ ત્યાં ગેરકાયદે પ્રવેશ કરી ફરીયાદી રાજેશભાઇ તથા સાહેદને કહેલ કે તમો અહીંથી જતા રહો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. આ અંગે રાજેશગીરી ગોસાઇ દ્વારા ગઇકાલે પંચ-બીમાં જામનગરના ગોકુલ માળીયા નામના શખ્સ સામે આઇપીસી કલમ ૪૪૭, ૫૦૬(૨) મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application